________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-નંદીશ્વરદ્વીપનું સ્વરૂપ
૪૧૧ દિશામાં અસુર દ્વાર છે અને તેને અધિપતિ અસુર દેવ છે, પશ્ચિમ દિશામાં નાગ દ્વાર છે અને તેના અધિપતિ નાગદેવ છે. ઉત્તર દિશામાં સુવર્ણ દ્વાર છે અને તેને અધિપતિ સુવર્ણ દેવ છે. આ અધિપતિ દેવો એક પલ્યોપમના આયુષ્યવાળા છે.
મંદિરના મધ્ય ભાગમાં ૧૬ જન લાંબી-પહોળી અને ૮ જન ઉંચી મણિપીઠિકા છે, તેના ઉપર રત્નમય દેવછંદક-ગભારો છે. તેની ચારે દિશામાં ઉત્સવ આંગળના ૫૦૦ ધનુષ પ્રમાણવાળી, પર્યકાસને બિરાજમાન ૨૭-૨૭ જિનમૂર્તિઓ છે. ચારે દિશામાં થઈ ૧૦૮ જિનભૂતિઓ છે.
દરેક જિનભૂતિની આગળ બે બે નાગ-યક્ષ–ભૂત અને કુંડધારી દેવની પ્રતિમા, બે બાજુ ચામરધારી અને પાછળના ભાગમાં એક છત્રધારી દેવની પ્રતિમા વગેરે હોય છે. | શ્રી જિનભવનના દ્વારની આગળ ચારે દિશામાં ૧૦૦ યોજન લાંબા, ૫૦ જન પહેળા અને ૧૬ જન ઉંચા એક એક મુખમંડપ છે. તેને ત્રણ દિશામાં ૧૬ જન ઉંચા, ૮ યોજન પહેળા એક એક દ્વાર છે.
વળી આ દરેક મુખમંડપની આગળ ૧૦૦ એજન લાંબા, ૫૦ એજન પહોળા અને ૧૬ જન ઉંચા અતિશય સુંદર અને રમણિય પ્રેક્ષામંડપ છે. તેમાં ૧૬૮૧૬૮ પીઠિકા, શય્યા વગેરે વિજ્યદેવની સુધર્મસભા સમાન છે. તેના મધ્યભાગમાં વમય અક્ષપાટક છે, તેના મધ્ય ભાગમાં ૧૬ જન લાંબી-પહેળી ૮ જન જાડી મણિપીઠિકા છે. આ મણિપીઠિકા ઉપર ઈન્દ્રને બેસવા યોગ્ય રત્નજડિત સિંહાસન છે.
આ પ્રક્ષામંડપની આગળ ૧૬ જન લાંબી-પહોળી અને ૮ યોજન જાડી મણિપીઠિકા છે, તેના ઉપર ૧૬ જન લા--પહેળો અને ૧૬ એજનથી અધિક ઉંચો સફેદ વર્ણવાળ સુંદર ચૈત્યસ્તૂપ છે. સ્તૂપની ચારે દિશામાં એક એક ૮ જન લાંબી-પહેલી અને ૪ જન જાડી મણિપીઠિકા છે, તેના ઉપર ઉત્સધ આગળના ૫૦૦ ધનુષ પ્રમાણવાળી, પર્યકાસને બેઠેલી, રત્નમય, સ્તૂપના તરફ મુખવાળી પૂર્વ દિશામાં શ્રી ઋષભ દક્ષિણ દિશામાં શ્રી વર્ધમાન, પશ્ચિમ દિશામાં શ્રી ચંદ્રાનન અને ઉત્તર દિશામાં શ્રી વારિષણ નામની જિનભૂતિ રહેલી છે.
જિન ભવનમાં ૧૦૮ પ્રતિમા અને ચારે દિશાના ૪ સ્તૂપની ચારે બાજુની ૪-૪ મળી ૧૬, કુલ ૧૦૮+૧૬=૧૨૪ શ્રી જિનમૂર્તિઓ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org