________________
૩૪૧
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્રોના વિસ્તારનું સ્વરૂપ છાયા-૩ો વૈતરણાનાં લોનનાનિ ત પર સોશાનિ.
पञ्चविंशतिरुद्विद्धा द्वे चैव शते विस्तीर्णाः ॥१२॥
અર્થ–વૈતાઢય પર્વતે છ જન એક ગાઉ ઉંડા, પચીસ યોજન ઊંચા અને બસો જન વિસ્તારવાળા છે.
વિવેચન-પુષ્કરવર દ્વીપાધના પૂર્વ અને પશ્ચિમમાં વૈતાઢય પર્વતેબે ભરતક્ષેત્રમાં ૨, બે અરવતક્ષેત્રમાં ૨ અને બે મહાવિદેહક્ષેત્રમાં ૬૪. કુલ ૬૮ વૈતાઢય પર્વતે જમીનમાં ઉંડા ૬ યોજન એક ગાઉ, ઉંચાઈમાં ૨૫ જન અને વિસ્તારમાં *૨૦૦ એજન પ્રમાણ છે. ૧૨. (૫૯૨)
હવે ભરતાદિક્ષેત્રોને મુખ–મધ્ય અને બહારના વિસ્તાર લાવવાની રીત કહે છે. धायइसंडइदुगुणा, वासहरा होंत पुक्खरडम्मि। उसुयारा साहस्सा, ते मिलिया होंतिमं खित्तं॥१३॥(५९३) છાયા–ધાdશીરવાણદિન વધરા મવત્તિ પુર્વે !
इषुकारौं सहस्रौ ते मिलिता भवन्तीदं क्षेत्रम् ॥१३॥
અર્થ–પુષ્પરાધમાં વર્ષધર પર્વત ધાતકીખંડથી દ્વિગુણા–બમણા હોય છે. અને બે ઇષકાર હજાર જનના છે. તેઓનું કુલ ક્ષેત્ર આ પ્રમાણે થાય છે.
વિવેચન-ધાતકીખંડમાં રહેલા હિમવંત આદિ પર્વતને જે વિસ્તાર છે તેનાથી બેગુણ વિસ્તારવાળા પુષ્કરાઈ દ્વીપમાં હિમવંત આદિ પર્વત છે. બે ઈપુકાર પર્વત એક એક હજાર જન વિસ્તારવાળા છે. આ બધા વર્ષધર પર્વત અને બે ઈષકારપર્વતને વિસ્તાર બુદ્ધિથી ભેગો કરીએ તે આ પ્રમાણે ક્ષેત્ર થાય છે.
૧૩. (૫૯૩)
* ધાતકીખંડ દ્વીપમાં બે ભરત બે અરવત અને બે મહાવિદેહના કુલ ૬૮ વૈતાઢય પર્વતની પહોળાઈ ૫૯ યોજન કહી છે, અર્થાત જમ્બુદ્વીપના વૈતાઢય પર્વતની પહેળાઈ જેટલી જ કહી છે. ડબલ થતી નથી. વળી આ પુષ્કરાર્ધના વર્ણનમાં આગળ ગાથા ૩૯માં તથા તેની ટીકામાં પણ આ વાત સ્પષ્ટ કરી છે કે “ઈષકાર પર્વત, યમકગિરિ, ચિત્ર-વિચિત્ર પર્વતે. વૃત્તવૈતાઢય પર્વત અને બે મેખલાવાળા દીર્ધ વૈતાઢય પર્વતે (૨ ભરતના, ૨ અરવતના અને ૬૪ મહાવિદેહના કુલ ૬૮) દરેક દ્વીપમાં એટલે કે જંબુદ્વીપમાં, ધાતકીખંડ દ્વીપમાં અને પુષ્કરાઈ દ્વીપમાં તુલ્ય વિસ્તારવાળા હેય છે.' આ હિસાબે દીર્ધ વૈતાઢય પર્વતને વિસ્તાર ૫૦ જન હોય, પરંતુ અહીં આ ગાથામાં બસે જન કેમ કહ્યા છે ? તે સમજાતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org