SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ બહત ક્ષેત્ર સમાસ પપમ અને સાગરોપમ એ કાળનું પ્રમાણ છે. જઘન્ય કાળ સમય છે અને ઉત્કૃષ્ટ કાળ પુદ્ગલ પરાવર્ત છે. સમય એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળ છે અને તે કેવળજ્ઞાની સિવાય છદ્મસ્થને જાણી શકાય એમ નથી, છતાં સમજવા માટે શાસ્ત્રમાં સ્કૂલ દષ્ટાંત આ પ્રમાણે જણાવેલા છે. ૧. આંખના એક પલકારામાં અસંખ્ય સમયે થાય છે. ૨. કઈ અતિ બલવાન તરૂણ માણસ પુરા જોરથી કોઈપણ જીર્ણ વસ્ત્રને શીધ્ર બે ટુકડા કરી નાખે, તેમાં એ વસ્ત્રને ઝીણામાં ઝીણા એક તંતુથી બીજો તંતુ તૂટતા અસંખ્યાત સમય વીતી જાય છે. ૩. સેંકડો કમળના પત્રો ઉપરાઉપરી મૂકેલા હોય અને કેઈ બળવાન યુવાન પુરુષ પોતાના સામર્થ્ય વડે ભાલાની તીક્ષ્ણ અણ વડે તે કમળપત્રોને એકસાથે ભેદી નાખે, તેમાં એ ભાલાની અણુ એક પત્રને ભેદીને બીજા પત્રમાં જાય તેમાં અસંખ્ય સમય ચાલ્યા જાય છે. ભેદનારને પૂલ દષ્ટિએ એમ જ લાગે કે “મેં એકીસાથે બધા પત્રો ભેદી નાખ્યા. પરંતુ સૂક્ષ્મદષ્ટિવાળા શ્રી સર્વજ્ઞ ભગવંતે તેમાં પણ અસંખ્યાતા સમય વ્યતીત થયા છે એમ જ્ઞાનથી જાણે છે. ચેથું જઘન્યયુક્ત અસંખ્યાતા જેટલો સમય વ્યતીત થાય ત્યારે એક આવલિકા થાય. કાળસંખ્યાનું કાષ્ટક નિવિભાજ્ય કોળ-ભાગ થઈ ન શકે તે કાળ, સમય. ૮ સમય = ૧ જઘન્ય અંતમુહૂર્ત જઘન્યયુક્ત અસંખ્યાતાની સંખ્યા પ્રમાણ સમયની ૧ આવલિકા ૨૫૬ આવલિકાનો ૧ ક્ષુલ્લક ભવ ૧૨૨૯ ૨ ૩૭૭૩ 5 ૧ ઉચ્છવાસ કે નિઃશ્વાસ ૨૪૫૮ ક ૧ પ્રાણ શ્વાસોશ્વાસ ४४४६ ૩૭૭૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy