SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ જેનદષ્ટિએ મહા ભૂગોળ-વૈતાઢય પર્વતનું સ્વરૂપ આ જ પ્રમાણે મેરુ પર્વતની અપેક્ષાએ દક્ષિણ અિવતાઈ ક્ષેત્રમાં પણ વૈતાઢય પતના મધ્ય ભાગથી ૧૧૪ જન ૧૧ કલા અને લવણ સમુદ્રના છેડાથી ૧૧૪ જન ૧૧ કલા અરવતાધ ક્ષેત્રના બરાબર મધ્ય ભાગમાં પણ પૂર્વ–પશ્ચિમ ૧૨ જન લાંબી અને ઉત્તર-દક્ષિણ ૯ જન પહોળી અધ્યા નામની નગરી છે. દરેકે દરેક ક્ષેત્રમાં સૂર્યદિશા મુજબ મેરુ પર્વત ઉત્તર દિશામાં જ ગણાય છે. એ અપેક્ષાએ દરેક ક્ષેત્રો મેરુ પર્વતની અપેક્ષાએ દક્ષિણમાં જાણવા. ૧૭૬–૧૭૭. હવે ભરતક્ષેત્રના વૈતાઢય પર્વતનું સ્વરૂપ કહે છે. पणुवीसइमुविद्रो, पन्नासंजोयणाणि विच्छिन्नो। यड्ढोरययमओ,भारहाखित्तस्स मज्झम्मि॥१७८॥ છાયા–વિંશતિઃ ઉદ્ધઃ વનના વિસ્તા वैताढयः रजतमयः भरतक्षेत्रस्य मध्ये ॥१७८॥ અર્થભરતક્ષેત્રના મધ્ય ભાગમાં પચીસ યોજન ઉચા, પચાસ જન વિસ્તાર વાળ રજતમય શૈતાઢય પર્વત છે. વિવેચન–ભરતક્ષેત્રના મધ્ય ભાગમાં વૈતાઢય નામનો પર્વત છે, તે ભરતક્ષેત્રના બે અડધા ભાગ કરે છે. બે ભાગ કરવાથી વૈતાદ્ય કહેવાય છે, અથવા એક પલ્યોપમના આયુષ્યવાળો બૈતાઢય નામને મહર્દિક દેવ પર્વતને અધિપતિ હોવાથી તેના યોગથી આ પર્વત વૈતાઢય પર્વત કહેવાય છે. કહ્યું છે કે, “હે ભગવન ! બૈતાઢય પર્વત શા કારણથી કહેવાય છે? હે ગૌતમવૈતાઢય પર્વત ભરતક્ષેત્રના બે ભાગ કરતે રહેલો છે, તે આ પ્રમાણે– એક દક્ષિણ ભરતાઈ અને બીજે ઉત્તર ભરતાઈ. તથા અહીયાં એક પપમની સ્થિતિવાળા વૈતાઢય નામનો મહર્દિક દેવ વસે છેતેથી શૈતાઢય પર્વતને શૈતાઢય પર્વત કહેવાય છે. આ શૈતાઢય પર્વત રજતમય-ચાંદીને છે અને ૨૫ જન ઉચ, દા યોજના જમીનમાં અને ૫૦ એજન પહોળા વિસ્તારવાળો છે. વૈતાઢય પર્વતની દક્ષિણ બાજુ અને ઉત્તર બાજુ એક એક પદ્મવર વેદિકા અને વનખંડ છે. - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy