SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહત ક્ષેત્ર સમાસ મનુષ્યએ મલપત્રમાં ભરી લાવેલા જળ વડે વિનયપૂર્વક પ્રભુના ચરણ ઉપર અમિષેક કર્યો. તેમના આ વિનયથી રાજી થઇને સૌધર્મેન્દ્ર વિનીત યુગલિકાના રહેવા માટે વૈશ્રમણ-લોકપાલ દેવને આજ્ઞા કરી નગરી કરાવી અને તેનું નામ વિનીતા નગરી રાખ્યું. આ વિનીતા નગરી એ અયોધ્યાપુરીનું બીજું નામ છે. જે વખતે ઐશ્રામણ દેવ નગરી બનાવી તે જ વખતે દૈવીશક્તિથી સેનાને કિટ ૧૨૦૦ ધનુષ ઉચ, ૮૦૦ ધનુષ પહાળો બનાવ્યા. તથા ઈશાન ખૂણામાં નાભિરાજા માટે સાત માળને સમરસ સુવર્ણન મહેલ બનાવ્ય, પૂર્વ દિશામાં ભરત ચક્રવતિ માટે ગોળ પ્રાસાદ, અગ્નિ ખૂણામાં બાહુબળી માટે પ્રાસાદ, વચમાં ૯૮ ભાઈઓ માટેના પ્રાસાદે પણ બનાવ્યા હતા. નગરીની મધ્ય ભાગમાં શ્રી ઋષભદેવ માટેનો ૨૧ માળનો ભવ્ય પ્રાસાદ બનાવેલ, જેનું નામ ગૌલોક્યવિભ્રમ રાખવામાં આવેલ. તેમજ નગરીમાં અનેક સુવર્ણ રત્નાદિમય પ્રાસાદે બનાવેલ, વળી નગરીમાં હજારે શ્રી જિનમંદિર, માંડલિક રાજા માટેના મહેલે, ક્ષત્રિયાદિ ઉત્તમ વર્ણવાળા માટેના મહેલ વગેરેથી યુક્ત અવર્ણનીય નગરી બનાવી હતી. તે ઉપરાંત નગરની બહાર કારૂ, નારૂ વગેરે વર્ણવાળા માટે એક, બે, ત્રણ માળવાળા અનેક મકાને, નગરીની ચારે દિશામાં ચાર મોટાં વન તથા બીજા અનેક નાના-નાના વને, બગીચા. તે દરેકના મધ્ય ભાગે એક એક જિન મંદિરથી યુક્ત બનાવ્યા. ચાર દિશામાં અષ્ટાપદ આદિ ચાર પર્વત બનાવ્યા. આ બધી રચના વૈશ્રમણદેવે માત્ર એક અહેરાત્રિમાં કરી હતી. દરેક અવસર્પિણ અને ઉત્સર્પિણી કાલમાં ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્રના અતિ મધ્ય ભાગમાં મહાનગરીઓ રચાય છે અને કાળક્રમે પુનઃ વિનાશ પામતી જાય છે. ઉપર કહેલી અધ્યા નગરી આ ભરતક્ષેત્રની અપેક્ષાએ વર્ણવી છે. તેવી જ અધ્યા નગરી એરવત ક્ષેત્રમાં પણ વૈશ્રમણ દેવ ઈન્દ્રની આજ્ઞાથી રચેલી જાણવી. નામ વગેરેમાં વિનીતાની જેમ યથા સંભવ ફેરફાર પણ હોય તે સમજી લેવું. દક્ષિણ ભરતાઈ ૨૩૮ જન ૩ કલા પ્રમાણ છે. શૈતાઢય પર્વતના મધ્ય ભાગથી દક્ષિણ ભરતાઈને મધ્ય ભાગ ૧૧૪ જન ૧૧ કલા અને લવણ સમુદ્રના દક્ષિણ છેડેથી ઉત્તર તરફના ૧૧૪ યોજન ૧૧ કલા ભેગા કરતાં ૨૨૯ જન ૩ કલા થાય. તેમાં અધ્યા નગરીના ઉત્તર-દક્ષિણ પહોળાઈના ૯ જન ઉમેરતાં ર૩૮ જન ૩ કલા દક્ષિણ ભરતાર્થ ક્ષેત્રના મળી રહે છે. એટલે દક્ષિણ ભરતાધના મધ્ય ભાગમાં અયોધ્યા નગરી આવેલી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy