SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૧૬ ] સરખાવાય છે, એ ખંડકો ચોરસઘન ગણવાના હોવાથી તેનાં ખાનાં ૪૮૪=૧૬ (વર્ગ ગણિતવત) પડે. આ ગણત્રી પ્રમાણે દરેક નારકના ચાર ચાર બંડુકો ત્રસનાડીમાં હોય. જ્યાં વધારાના હોય ત્યાં તે ત્રસનાડી બહારના સમજવા. હવે સાતમી નારકનું તળિયું સાત રાજપ્રમાણ વિસ્તારવાળું હોવાથી (૭*૪=૨૮) ૨૮ ખંડક થાય. (તે ચોરસઘન હોવાથી ખાનાં ૨૮૮૪=૧૧૨ ચાર પંક્તિના થઈને થાય) એ ચોરસઘન ૨૮માંના ચાર ચોરસઘન ખંડુકો ત્રસનાડીમાં સમજવા, અને બાકી રહ્યા ચોવીશ તેમાંના બાર ખંડકો ત્રસનાડીની બહાર દક્ષિણ દિશા તરફનાં અને બાકીનાં બાર તે જ નાડીની અપર બાજુનાં (ઉત્તર દિશાની ત્રસનાડીમાં ખાનાં ૧૬, દક્ષિણે ૪૮, ઉત્તરે ૪૮, કુલ=૧૧૨ ખાનાં થઈ જાય.) સમજવાં. इति स्थूलविचारे प्रथम रज्जुः॥ છઠ્ઠી નરકને સ્થાને લોક વિસ્તાર સાડા છ રજુ પ્રમાણ હોવાથી તે સ્થાને છવ્વીશ (૬ix૪) ખંડુક ચોરસઘન લોક પ્રમાણે વિસ્તાર થાય, તેમાં ચોરસઘને ચાર ખંડકો ત્રસનાડીમાં હોય અને બાકી રહ્યા બાવીશ તે બન્ને બાજુએ થઈ અગિયાર અગિયાર ચોરસઘન વહેંચી નાંખવા. એકંદરે ખંડુક–ખાનાં ચોરસઘનને હિસાબે આ છઠ્ઠી નારકે ૧૦૪ હોય એમાં પૂર્વવત્ ૧૬, ત્રસનાડીમાં ૮૮ બન્ને બાજુનાં થઈને હોય. રતિ હિતીનુell પાંચમી નરક સ્થાને લોકવિસ્તાર પ્રમાણ છ રજુ હોવાથી ૨૪ ચોરસઘન ખંડક થાય. ખાનાં પૂર્વવત્ વહેંચી નાંખવાં. રતિ તૃતીયાનું . ચોથી નરક સ્થાને લોક વિસ્તાર પાંચ રજુ પ્રમાણ, જેથી ખંડુક પ્રમાણ ૨૦ થાય, ખાનાં ૮૦ પડે. ત્રીજી નરક સ્થાને લોક વિસ્તાર ચાર રજું પ્રમાણ, જેથી ખંડુક પ્રમાણ ૧૬ થાય, ખાનાં ૬૪ પડે. બીજી નરક સ્થાને લોક વિસ્તાર અઢી રજું પ્રમાણ, જેથી ખંડુક પ્રમાણ ૧૦, ખાનાં ૪૦ પડે. પહેલી નરક સ્થાને લોક વિસ્તાર એક રજુ પ્રમાણ, જેથી ખંડક પ્રમાણ ૪, ખાનાં ૧૬ પડે. કૃતિ સક્ષમળ્યુ છે. ત્યારપછી રત્નપ્રભાથી લઈ સૌધમત્તે એક રાજ પ્રમાણ થાય છે. તેમાં તિષ્ણુલોક અને સૌધર્મસ્થાન બને થઈને સમાપ્ત થાય છે. એમાં લંબાઈના ચાર ખંડુક વિભાગ જેટલો તિચ્છલોક છે. બાકીના સૌધર્મકલ્પના હોય છે. હવે તિચ્છલોકસ્થાને લોક વિસ્તાર એક રજુ હોય છે, જેથી ખંડુક વિસ્તારમાં ચાર પડે અને લંબાઈમાં બે જ સંખ્યાએ હોય. કારણકે તિચ્છનું પ્રમાણ અલ્પ હોવાથી તે ચાર ખંડુક ચોરસઘન નહિ પણ અધ ચોરસઘન કહી શકાય, માટે ખાનાં ચાર જ પડે. ત્રસનાડી બહાર આ સ્થાને ખંડુક પડે નહિ કારણકે તિચ્છલોકને સ્પર્શીને જ અલોક રહેલો છે. હવે તિચ્છલિોકથી ઉપર સૌધર્મ દેવલોક સ્થાને લોક વિસ્તાર ૬ ખંડુક પ્રમાણ છે. તેનાં પણ અર્ધ ચોરસઘન માટે ખાનાં ૧૨ પડે. ૬ ખંડુકમાં ચાર ત્રસનાડીમાં એક એક બહાર સમજવા, કારણકે હવે લોક વૃદ્ધિ થાય છે માટે તે વિસ્તાર પાંચમા દેવલોક સુધી રહેવાનો. રતિ અષ્ટમળ્યુ નવમી રજુ સૌધર્મયુગલથી લઈ માહેન્દ્રાન્ને સમાપ્ત થાય છે. ત્યાં ખંડુક વિસ્તારની આડી ચાર પંક્તિઓ પા-પા (G) રાજ પ્રમાણ પહોળી, ૧ રાજ ઊભી લંબાઈમાં પડે. પ્રથમ ખંડકની પંક્તિસ્થાને લોકવિસ્તાર ૮ ખંડક પ્રમાણ છે, એમાં ચાર ત્રસનાડીમાં, બે બે ખંડુક ત્રસનાડીની બંને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy