SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૧] ગુણ માનતાં હતાં પણ ફોનોગ્રાફ શોધાયું અને તેમાં શબ્દો પકડાયા અને સ્થાયી થયા ત્યારે સત્ય સમજાયું. એ રીતે જ તેઓ અંધકારને પ્રકાશનો અભાવ કહેતા હતા. જ્યારે જૈનદર્શન અંધકારને પ્રકાશના અભાવરૂપ નહીં પણ સ્વતંત્ર દ્રવ્યરૂપ માનતું હતું એટલે જ ફ્રાન્સના વૈજ્ઞાનિક ઓલીવરલોજે જાહેર કરેલું કે હું અત્યારે એવા પ્રયોગો કરૂં છું કે જો તેમાં સંપૂર્ણ સફળ થઇશ તો ધોળા દિવસે આખી દુનિયાને અંધકારમાં ડુબાડી દઈશ. આ ત્યારે જ બને કે જ્યારે તે વસ્તુ-પદાથે ચીજ હોય. છાયા એટલે સમગ્ર વસ્તુનું પ્રતિબિંબ. જડ કે ચેતન નાની કે મોટી કોઇપણ વસ્તુમાંથી છાયાનાં સાદા કે રંગીન તરંગો-મોજાંઓ સતત નીકળતાં જ હોય છે. તરંગો હોવાથી તેને પકડી શકાય છે એટલે જ રેડિયો, ટેલિવિઝન શક્ય બન્યાં. આ બધાં એકથી વધુ પરમાણુઓનાં બનેલાં કંધો-જથ્થારૂપે હોય છે. શબ્દ પદ્ગલ છે અને તે એક સ્થળેથી બીજે સ્થળે જઈ આવી શકે છે. તેનો અનાદિ-અનંતકાળ સુધી જીવંત રહેનારો શાશ્વત દાખલો આપું. જૈનધર્મમાં દરેક મહાકાળમાં ચોવીશ-ચોવીશ તીર્થંકરો થાય છે અને દરેક તીર્થકરના જન્મ, દીક્ષા વગેરે પ્રસંગોની ઉજવણી દેવોને કરવાની હોવાથી ઇન્દ્ર મહારાજા દેવોને આમંત્રણ આપે છે ત્યારે વિમાનો કરોડો-અબજો માઈલ દૂર દૂર રહેલાં હોય છે. અસંખ્ય વિમાનોને ખબર શી રીતે આપવાં? એટલે ઇન્દ્રનાં મુખ્ય વિમાનમાં શાશ્વતી “સુઘોષા' નામની મહાઘંટા છે. એ ઘંટા ઈન્દ્ર પ્રથમ તેના અધિકારી હરિëગમેલી દેવ પાસે વગડાવે અને પછી સંદેશો પ્રસારિત કરાવે. હરિëગમેલી જોરથી મહાઘંટા વગાડે છે. સૌધર્મના મહાવિમાનમાં અવાજ શરૂ થતાંની સાથે જ લાખો-કરોડો માઈલ દૂર દૂર રહેલાં અસંખ્ય વિમાનોની અસંખ્ય ઘંટાઓ એક સાથે જ વાગવા માંડે છે. દેવોને આ રિવાજની ખબર હોય જ છે એટલે બધા સાવધાન થઈ જાય છે. શાંત થઈ જાવ. સાંભળો, સાંભળો. તે પછી ઈન્ડે આપેલો સંદેશો ઘંટા પાસે ઊભા રહી દેવ બોલે છે કે–‘જગતનાં જીવોનું કલ્યાણ કરવા તીર્થંકર પરમાત્માનો જન્મ થયો છે એની ઉજવણી કરવા હું પર્વત ઉપર જાઉં છું. જેને ભક્તિનો લાભ લેવો હોય તે જલદી આવજો.' આ સંદેશો અસંખ્ય દેવ-દેવીઓ સાંભળે છે. હવે અહીં સમજવાનું એ છે કે એક વિમાનથી બીજાં વિમાન વચ્ચે નથી દોરડું કે તાર, ફક્ત ખાલી અવકાશ જ છે, છતાં ઘંટાના મહાનાદ પાસે ઊભા રહીને બોલાતો સંદેશો સહુ સાંભળે છે. રેડિયોની શોધ તો આ સૈકામાં થઈ પણ શાસ્ત્રમાં તો આ બાબત અનાદિકાળથી પડેલી જ છે. જ્યારે વિજ્ઞાને વિદ્યુત્ શક્તિ વગેરે અનેક સાધનો દ્વારા આજે શાસ્ત્રોક્ત પુરાણી વાતને સાચી કરાવી આપી છે. એક ધ્યાન રાખવું કે અંધકાર અને પ્રકાશ, ધ્વનિ અને પ્રભા, છાયા આ તમામનાં પગલો એક જ સ્થાનમાં એકબીજામાં મિશ્રણ થઈને રહી શકે છે. કેમકે પુદ્ગલોનો તેવાં પ્રકારનો સ્વભાવ હોય છે. જેમ પ્રકાશ ત્યાં જ અંધકાર હોય છે પણ પ્રકાશ આવે એટલે તેનાં તેજમાં* અંધારું દેખાય નહિ, એ જાય એટલે દેખાય જ. માત્ર એક ટાંચણીની ટોચ જેટલી જગ્યા ઉપર વિશ્વભરનાં જડ-ચેતનના ધ્વનિ-શબ્દો, અવાજો, અંધકાર, છાયા, પ્રકાશ વગેરેનાં અસંખ્ય પુદ્ગલ પરમાણુઓ હોય છે એમ જૈનતત્ત્વજ્ઞાનનું વિજ્ઞાન કહે છે. # ચોથી બાબત જાણીએ જ સાથે સાથે અત્તમાં સમગ્ર વિશ્વમાં સર્વત્ર ઠાંસીઠાંસીને ભરેલા એવા દુનિયાના વૈજ્ઞાનિકો અને વિદ્વાનોથી પ્રાયઃ અજ્ઞાત છતાં વૈજ્ઞાનિક વાચકો માટે જાણવો જરૂરી એવા સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવોનો પણ પરિચય આપી દઉં. સાયન્સમાં અતિસૂક્ષ્મ જીવના પ્રકારમાં વાયરસ પ્રકારના જીવોની શોધ થઈ છે. એ જીવો સામાન્ય સૂક્ષ્મદર્શક યત્રમાં નહિ પણ નવાં શોધાએલાં યત્રમાં જોઈ શકાય છે. આવા વાયરસથી પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ * આ અંગે મતાંતર છે, તે તત્ત્વાર્થ ટીકાથી જાણી લેવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy