SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ असांव्यवहारिक जीवोनुं मान ૬૭૬ અસંખ્યાતમા ભાગનું માત્ર છે. આટલી એક બારીક શરીરાવગાહનામાં અનંત જીવો શી રીતે સમાય ? એમ શંકા થાય, પરંતુ જેમ લોખંડના ગોળામાં અગ્નિ, એક ઓરડામાં વર્તતા દીપકના તેજમાં અન્ય સેંકડો દીપકનું તેજ, એક તોલા પારામાં ૧૦૦ તોલા સોનાનો ઔષધિબળથી સમાવેશ ઇત્યાદિ રૂપી પદાર્થનું અવગાહન (પ્રવેશ સંક્રાન્ત) થાય છે, તેવી રીતે એક, બે યાવત્ અનંત જીવો પણ એકબીજામાં પ્રવેશ કરી સંક્રમીને એક જ શરીરમાં સરખી અવગાહનાએ રહે. તેમાં દ્રવ્યોનાં પરિણામ સ્વભાવની વિચિત્રતા જોતાં કશું જ આશ્ચર્ય નથી. એક શરીરમાં રહેલા અનંત નિગોદના જીવો અવ્યક્ત (અસ્પષ્ટ) વેદનાનો જે અનુભવ કરે છે તે સાતમી નરકમૃથ્વીથી પણ અનંતગુણી દુઃખદાયક છે. ભલે પ્રગટપણે વેદના નરકની છે પણ અપ્રગટપણે તો આ જીવોની જ વેદના વધી જાય છે. આ નિગોદની ૩૭ પ્રકારે વ્યાખ્યા થાય છે જે શ્રી લોકપ્રકાશ ગ્રન્થના ત્રીજા સર્ગથી જાણવી. આ નિગોદનું સંસ્થાન સામાન્યતઃ હુંડક છે, પરંતુ વાસ્તવિક રીતે તો અનિયમિત આકારનું છે. નિગોદનું દેહમાન અંગુલના અસંખ્યાતમા ભાગનું છે. નિગોદના જીવો સંઘયણ રહિત છે. બાદર નિગોદનું કિંચિત્ વધુ સ્વરૂપ જીવના પ૬૩ ભેદના વર્ણનમાંથી જોવું. નિગોદ ગોલક, ઉત્કૃષ્ટ પદ, જઘન્ય પદ તથા સમાવગાહી વિષમાવગાહીપણું તથા અવગાહનાદિ સર્વ સ્વરૂપ નિગોદ છત્રીસી તથા આગમશાસ્ત્રોથી જોવું. [૩૧]. અવતરણ—અસાંવ્યવહારિક જીવો કેટલા છે? તેનું માન કહે છે. अत्थि अणंता जीवा, जेहिं न पत्तो तसाइपरिणामो । ૩થતિ વયંતિ , પુખવિ તત્થવ તત્યેવ આર૦રા સંસ્કૃત છાયા सन्ति अनन्ता जीवा, यैर्न प्राप्तो प्रसादिपरिणामः । उत्पद्यन्ते च्यवन्ते च, पुनरपि तत्रैव तत्रैव ॥३०२।। શબ્દાર્થ— સ્થિ છે ૩ષ્પગંતિ–ઉપજે છે હિં જેઓ - વયંતિ એવે છે ન પત્તો નથી પામ્યા પુomવિન્ફરી ફરીને પણ તરૂપરિણામો ત્રસાદિક પરિણામ તવ તળેવ ક્યાં ને ત્યાં જ રાપર્ય એવા અનંતા જીવો છે કે જે જીવો ત્રસાદિક લબ્ધિપરિણામને પામ્યા નથી કારણ કે તેઓ (અસાંવ્યવહારિક જીવો) ત્યાંને ત્યાં જ ફરીફરીને ઉપજે છે અને વારંવાર) અવે છે. ૩૦રા વિશે કાર્ય—પૂર્વ ગાથામાં આનું સ્વરૂપ કહેવાયેલું છે કે જે જીવો કદાપિ સૂક્ષ્મ વનસ્પતિપણું વર્જીને સૂથમ પૃથ્વીકાયાદિ, બાદર નિગોદ–પૃથ્વીકાયાદિપણું પામ્યા જ નથી, પરંતુ સૂક્ષ્મ નિગોદમાં જ પુનઃ પુનઃ જન્મ-મરણ કરે છે, તેવા અવ્યવહારરાશિવાળા અનંતાનંત છે. [૩૦૨] કવિતા – હવે પ્રત્યેક વનસ્પતિમાં અનંત કાયનો સંભવ ક્યારે હોય ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy