________________
[ પર ] અભ્યાસીઓને ખાસ જાણવા જેવી થોડીક વાતો ) પ્રશ્ન- આ સંગ્રહણી રત્ન કે સંગ્રહણી સૂત્રથી ઓળખાતા આ પુસ્તકને શું ખગોળ-ભૂગોળથી ઓળખાવાય ખરું?
ઉત્તર- આમ તો આ ગ્રન્થ અનેક વિષયનો છે. પ્રારંભમાં ભૂગોળ અને ખગોળનું વર્ણન કરતી ગાથાઓ જરૂર આપી છે પણ જરૂર પૂરતી જ ગાથાઓ છે. પરન્તુ મેં પ્રસંગ આવ્યો ત્યારે લોકપ્રકાશ, ક્ષેત્રસમાસ આદિ અનેક ગ્રન્થો દ્વારા ટૂંકી ટૂંકી નોંધ સાથે અઢીદ્વીપનું વર્ણન આપ્યું છે. એ પ્રમાણે સૂર્ય-ચન્દ્ર આદિ જ્યોતિષચક્રનો પ્રસંગ આવ્યો ત્યારે સૂર્યપ્રજ્ઞપ્તિ તથા લોકપ્રકાશાદિ ગ્રન્થો દ્વારા વિસ્તૃત વિવેચન આમાં ઉમેર્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મૂલગ્રન્થમાં ભૂગોળ અને ખગોળનો વિષય અતિ અલ્પ છે ત્યારે જૈનખગોળ એવું સ્વતંત્ર નામ કેમ આપી શકાય ? છતાં સાપેક્ષ દષ્ટિએ ખગોળના રસિક વિદ્યાર્થીઓને આકર્ષવા માટે તથા અન્ય કારણસર જૈનખગોળ તરીકે નામ અપવાદે આપી શકાય.
એમાં એક કારણ એ પણ છે કે આપણે ત્યાં વર્તમાનમાં ક્ષેત્રસમાસ અને બૃહત સંગ્રહણી જાણે એક જ વૃક્ષની બે શાખા જેવા લાગે છે. ક્ષેત્રસમાસને તો આપણે અધિકારપૂર્વક જેનભૂગોળ જરૂર કહી શકીએ અને આજે કહીએ પણ છીએ. એને જ્યારે જૈનભૂગોળ કહીએ ત્યારે સામો માણસ તરત પ્રશ્ન કરે છે તો જૈન ખગોળનો ગ્રન્થ કયો? તો ભૂગોળની સામે ધરવા માટે અપેક્ષાએ મોટી સંગ્રહણીનું જ નામ આપવું પડે.
પ્રશ્ન- જૈનગ્રન્થોની અંદર ભૂગોળની જે વાતો લખી છે તે વાતો કઈ છે?
ઉત્તર આજે સ્કૂલ અને કોલેજોમાં આ વિશ્વની ધરતી ઉપર આપણી આંખ સામે જે ભૂગોળ પથરાયેલી પડી છે તે બાબતમાં ધર્મશાસ્ત્રકારોએ કશું કહ્યું નથી. તે માટે તેમને લખવાની જરૂર પણ ન હતી.
એનું શું કારણ?
અત્યારે વિદ્યમાન વિશ્વમાં પદાર્થો-વસ્તુઓ બે પ્રકારે છે. ૧. શાશ્વત અને ૨. અશાશ્વત. શાશ્વત એટલે અનાદિકાળથી જે પદાર્થો જેવડા અને જેવા હોય તે અનંતકાળ સુધી તેવડા અને તેવા જ રહે. દેખીતી રીતે કોઈ વિશેષ ફેરફાર ન દેખાય તેને શાશ્વત પદાર્થો કહેવાય, અને જે પદાર્થો ઓછાવત્તા થાય, જાતે દિવસે ખતમ થઇ જાય, નામનિશાન પણ ન રહે તેવા પદાર્થો અશાશ્વતા કહેવાય. શાસ્ત્રકારો અશાશ્વતા પદાર્થોનું પ્રાયઃ કરીને વર્ણન કરતા નથી. કારણ કે જે કાળે વર્ણન કર્યું હોય ભવિષ્યમાં એ ચીજ એ રીતે ન રહે તો શાસ્ત્રો અસત્ય ઠરે, શાસ્ત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જાય અને શાસ્ત્રકારો જુકા પડે એટલે સામાન્ય રીતે વિનાશી પદાર્થોનું વર્ણન તેઓ કરતા નથી. ભૂગોળ એવી ચીજ છે કે સ્થળ હોય ત્યાં જળ થાય અને જળ હોય ત્યાં સ્થળ થાય. અને એ થવાનું કારણ ધરતીકંપ, જળ પ્રકોપ, અગ્નિ, ઉપદ્રવ અને વાયુના વાવાઝોડાનાં મહાન ઉપદ્રવો હોય છે. આ સંજોગોમાં જૈનભૂગોળનો આજની ભૂગોળ સાથે સંબંધ જ કયાં રહ્યો ? પછી એની સાથે તુલના કરવાનો વિચાર જ કયાં રહ્યો ? તમને એક જ દાખલો આપું
વિશ્વ કે વિશ્વના ભાવો સતત પરાવર્તનશીલ છે. વીતેલા હજારો યુગોમાં પરાવર્તનની કરોડો બાબત બની ગઈ હશે પણ અહીં તો શાસ્ત્રનાં પાને લખાયેલો એક જ દાખલો મળે છે તે રજૂ કરૂં. હું જે વાત લખું છું તેનો ખ્યાલ બહુ ઓછી વ્યક્તિઓના ધ્યાનમાં હશે. તમોએ સંગ્રહણી અને ક્ષેત્રસમાસ વગેરે ગ્રન્થો દ્વારા જંબુદ્વીપની ભૂગોળ સારી રીતે જાણી લીધી હશે. જૈનશાસ્ત્રમાં જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં દરિયો છે એવું કદી જાણ્યું કે વાણું નહિ હોય અને દરિયો છે કે નહિ તેની કદાચ શંકા પણ થઇ નહીં હોય. વિદ્યાર્થીને
૧. વર્ણન કર્યું હશે તો અપવાદે અને જરૂર પૂરતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org