SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ २४६ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૫૩ [૫૦૯ +૫૦૯ = ] ૧૦૧૯૪૫ ભાગ થાય. [આટલું ક્ષેત્ર ચૌદ મંડળ ક્ષેત્ર અને ચૌદ અંતરક્ષેત્ર વડે પૂરાય છે.] એ ક્ષેત્રમાં સર્વાભ્યન્તર મંડળનું પરસ્પર મેરુ વ્યાઘાતિક વચલું ક્ષેત્ર પ્રમાણ ૯૯૬૪૦ યોજનનું પ્રક્ષેપતાં [૧૦૧૯ યો. ૪૫ ભાગ+૯૯૬૪૦ યોજન=] ૧૦૦૬૫૯ યોજન ૪૫ ભાગનું સર્વબાહ્યમંડળે ચન્દ્રચન્દ્રને જે અંતર કહ્યું તે યથાર્થ આવી રહે છે. આ પ્રમાણે ચન્દ્રમંડળની અધિકતાના કારણે જ ૧૬ અંશનો પડતો તફાવત જણાવાયો. [બીજી રીતે વિચારીએ તો ચન્દ્રના પ્રત્યેક મંડલે થતું અંતરવૃદ્ધિ પ્રમાણ મંડળ તથા અંતર વિસ્તાર સહિત ૭૨ યો૦ ૫૧ ભાગને ૧ પ્રતિભાગ છે અને ચન્દ્રમંડળના અંતર ૧૪ છે તેથી તે અંતરવૃદ્ધિ પ્રમાણ સાથે ચૌદે ગુણતાં ૧૦૧૯ યો૦ ૪૫ ભાગ પ્રમાણક્ષેત્ર પ્રાપ્ત થશે, ઇત્યાદિક ગણિતશાસ્ત્રની અનેક રીતિઓ હોવાથી ગણિતજ્ઞ પુરુષો અંત૨વૃદ્ધિથી મંડળક્ષેત્ર, મંડળવૃદ્ધિથી અંતરક્ષેત્ર ઇત્યાદિક કોઈ પણ પ્રમાણ, તે તે રીતિઓ દ્વારા સ્વતઃ પ્રાપ્ત કરી શકે છે.] इति मण्डले मण्डले चन्द्रयोः परस्परमबाधाप्ररूपणा तत्समाप्तौ च अबाधाप्ररूपणाऽऽख्यं द्वारं समाप्तम् ।। સૂચના— હવે ચન્દ્રમંડળની ગતિને વિષે ચાર અનુયોગ દ્વારો કહેલાં છે. તે નીચે પ્રમાણે— १ चन्द्रमंडळोनी परिधिप्ररूपणा ચન્દ્રના પ્રથમ મંડળનો પરિધ સૂર્યમંડલવત્ જાણવો. કારણકે જે સ્થાને ચન્દ્રમંડળ પડે છે તે જ સ્થાને, ઊર્ધ્વભાગે (૮૦ યો૦ ઊંચે) ચન્દ્રમંડળ રહેલું છે. અન્ય મંડળોના પરિધિ માટે પૂર્વ મંડળથી પશ્ચિમ મંડળની પહોળાઈમાં પૂર્વે જે ૭૨ યોજનની વૃદ્ધિ કહી છે તેનો જુદો જ પરિધિ કાઢતાં કિંચિત્ અધિક ૨૩ યો૦ આવશે. એ પરિધિ પ્રમાણ પૂર્વ પૂર્વનાં મંડળોમાં ઉમેરતાં અનન્તર—આગળ આગળનાં મંડળનું પરિધિ પ્રમાણ આવશે. આથી સર્વાભ્યન્તર મંડળના પિરિધમાં ૨૩ યોજન ઉમેરતાં બીજા મંડલનો ૩૧૫૩૧૯ યોજન, ત્રીજાનો પ૪૩૧૫૫૪૯ યોજન, એ પ્રમાણે કરતાં યાવત્ અંતિમ મંડળનો પિરિધ ૩૧૮૩૧૫ યોજન પ્રાપ્ત થાય. २ चन्द्रनी मुहूर्त्तगति ૧૩૧) સવભ્યિન્તરમંડળે સંક્રમણ કરતા બન્ને ચન્દ્રોની મુહૂર્તગતિ સૂર્યમંડલવત્ પરિધિના હિસાબે કાઢતાં ૫૦૭૩– ૭૭૪૪ યોની હોય છે, કારણકે એક ચન્દ્રમા એક અર્ધમંડળને ૧ અહોરાત્ર–૧ મુ અને ઉ૫૨ ભાગ મુહૂર્ત દરમિયાન પુરું કરે છે. ચન્દ્ર બીજો પણ સ્વચારિત અર્ધમંડળ તેટલા જ કાળમાં પૂર્ણ કરતો હોવાથી તે એક-મંડળને પૂર્ણ કરતાં ૨ અહોરાત્ર અને ૨૭ મુ૰ થાય છે. ચન્દ્ર વિમાનની મંદગતિને અંગે તે મંડળ ૬૨ મુહૂર્તથી અધિક સમયમાં પૂર્ણ કરે છે. ૨૨૧ ૨૨૧ ૨૫૬. ચૌદ વાર ૨૩૦×૧૪=૩૨૨૦ યોજન ઉમેરતાં ૩૧૮૩૦૯ યોજન આવવાથી ૬ યોજન તૂટે છે, તે ૨૩૦ યોજનનો દેશોન ના યોજન ન વધારવાથી તૂટે છે માટે પર્યન્તે વા મધ્યે પૂર્ણ અંકસ્થાને દેશોન ના યોજનથી ઉપજતો અંક વધારવાથી યથાર્થ વિધિ પ્રાપ્ત થશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy