SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પૂર્વે ચન્દ્રમંડળોનું કુલ ચારક્ષેત્ર તથા પ્રત્યેક ચન્દ્રમંડળનું અંતરક્ષેત્ર કાઢવાની રીતિ કહેવામાં આવી. હવે “અબાધા' (વિષય) કહેવામાં આવે છે. સૂર્યમંડલવત્ ચન્દ્રમંડળોની પણ અબાધા ત્રણ પ્રકારની છે. એમાં પ્રથમ મેરુની અપેક્ષાએ મોક્ષતઃ સવાધ, બીજી મેરુની અપેક્ષાએ પ્રત્યેજ મંડન અવાધા, ત્રીજી પ્રતિમંડળે વન્દ્ર-વની પરસ્પર સવાઘા એમ ત્રણ પ્રકારની છે. એમાં પ્રથમ “ઓઘથી અબાધા' કહેવાય છે. ३–मेरुथी चन्द्रमंडल-अबाधा प्ररूपणामेरुने आश्रित ओघथी अबाधातुं निरूपण-१ સૂર્યમંડળવત્ ચન્દ્રમંડળોનું અંતર મેરુપર્વતથી ચારે બાજુએ ઓઘથી ૪૪૮૨૦ યોજન દૂર હોય છે. એ સર્વ વ્યાખ્યા સૂર્યમંડળની ઓઘતઃ અબાધા પ્રસંગે કહી છે તે પ્રમાણે અહીં વિચારી લેવી. તિ કોયતોડવાધા | मेरुने आश्रित प्रतिमंडलनी अबाधा-२ ઉપર જે અબાધા કહેવામાં આવી તે મેરુ અને સવભિન્તરમંડળ વચ્ચેની કહી, કારણકે તે મંડળથી અવકુ (મેરુ તરફ) હવે એકે મંડળ હોતું નથી. સભ્યન્તરમંડળ પછીનાં (અર્થાત્ બીજા) મંડળ સુધીમાં જતાં ૩૬ યોજન અને ૨૫ ભાગ પ્રમાણ અંતરક્ષેત્ર વધે છે; કારણકે કેવળ અંતરક્ષેત્ર ૩૫ યો૦ ૩૦ ભાગ : ભાગનું તેમાં પ્રથમ મંડળવિમાન વિસ્તાર અંતર્ગત લેવાનો હોવાથી ૫૬ ભાગ ઉક્ત અંતર પ્રમાણમાં ભેળવતાં ૩૬ યોજન એકસક્રિયા ૨૫ ભાગ અને ૪ સાતીયા પ્રતિભાગપ્રમાણ આવી રહેશે. તેથી મેરુથી બીજું મંડળ ૪૪૮૫૬ યોજન અને ૨૫ ભાગ પ્રમાણ દૂર રહે. એમ પ્રથમ મંડળની અપેક્ષાએ આગળનાં અનન્તરપણે રહેલાં બીજાં મંડળોમાં ૩૬ યોજન અને ૨૫ ભાગની વૃદ્ધિ કરતા જવી, તે પ્રમાણે પ્રતિમંડળે અબાધા કાઢતાં જ્યારે સર્વબાહ્યમંડળે જઈએ ત્યારે સર્વબાહ્યમંડળ અને મેરુ વચ્ચે ૪૫૩૨૯૧છે એકસટ્ટાંશ જેટલું (મેરુથી બન્ને બાજુએ) અંતર પડે છે. આ સર્વ વિચારણા સૂર્યમંડલોની અબાધા પ્રસંગે કહી છે. તે રીતે અહીં વિચારી લેવી. તિ મેરું प्रतीत्य प्रतिमण्डलमबाधाप्ररूपणा ।। चन्द्र–चन्द्र वच्चे प्रतिमण्डलनी परस्पर अबाधा अने व्यवस्था જ્યારે જમ્બુદ્વીપવર્તી બન્ને ચન્દ્રો (સામસામા) સભ્યત્તરમંડળે હોય ત્યારે તે બન્ને વચ્ચેનું અંતરક્ષેત્ર પ્રમાણ સૂર્યોની પેઠે ૯૯૬૪૦ યોજનાનું હોય છે. આ પ્રમાણ દ્વીપના એક લાખ યોજનના વિસ્તારમાંથી બન્ને બાજુનું જંબૂદ્વીપગત મંડળક્ષેત્ર(૧૮૦+૧૮૦=૩૬૦ યોજન) બાદ કરતાં પ્રાપ્ત થાય છે, જે હકીકત પૂર્વે સૂર્યમંડળ પ્રસંગે કહેવાઈ ગઈ છે. સભ્યત્તરમંડળની પછી જ્યારે બન્ને ચન્દ્રો બીજા મંડળમાં પ્રવેશે ત્યારે તેઓનું પરસ્પર અન્તર ૯૯૭૧૨ યો) ઉપર ૫૧ એકસકાંશ ભાગ પ્રમાણ હોય છે, જે આ પ્રમાણે એક ચન્દ્ર-એક બાજુએ બીજા મંડળમાં ગયો ત્યારે સભ્યન્તર મંડળની અપેક્ષાએ (અંતરપ્રમાણ અને વિમાન વિષ્કન્મ સહ) ૩૩, યો૦ અને ૨૫ એકસક્રિય ભાગ પ્રમાણ દૂર ગયો. આ બાજુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy