SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ दरेक मंडले बने सूर्योनी अबाधा अने व्यवस्था ૨૦૧ યોજન દૂર રહ્યો હોય, ત્યારે તેની જ પ્રતિપક્ષી દિશા (વાયવ્ય)માં તિર્કી સમશ્રેણીએ—નીલવંત પર્વતે ઐરવત ક્ષેત્રમાં વર્ષારંભ કરતો ઐરવત સૂર્ય પણ મેરુથી ૪૪૮૨૦ યોજન દૂર હોય છે.] ॥ इति मेरुं प्रतीत्य मण्डलक्षेत्रस्य ओघतः अबाधा ॥ मेरुने आश्रयीने प्रत्येक मण्डल संबंधी अबाधा - २ 4 ૨૩૪ ૬૧ પૂર્વે મેરુ અને સભ્યન્તરમંડળ વચ્ચેની અબાધા કહી. હવે મેરુથી પ્રત્યેક અથવા કોઈ પણ મંડળની અબાધા કેટલી હોય ? તે સમજવા માટે સર્વાભ્યન્તર—(પ્રથમ મંડળથી બીજા મંડળના અંતભાગ સુધીનું અન્તરાલ (અંતર) પ્રમાણ ૨ યો૦ અને ૪૮ ભાગ પ્રમાણ છે, તેથી આ અબાધા—સર્વભ્યન્તર મંડળ અને મેરુની વચ્ચે પૂર્વે જે ૪૪૮૨૦ યોજન અબાધા આવી છે તેમાં પ્રક્ષેપવાથી મેરુથી બીજું મંડળ ૪૪૮૨૨ યોજન અને ૪૮ ભાગની અબાધાએ રહેલું છે એવો જવાબ આવશે. એ પ્રમાણે તૃતીય મંડળની અબાધા જાણવા માટે પણ બીજા મંડળથી ત્રીજા મંડળ વચ્ચેના ૨ યોજન ૪૮ ભાગપ્રમાણને પુનઃ બીજા મંડળની આવેલ ૪૪૮૨૨ યો૦ ૪૮ ભાગ અબાધામાં પ્રક્ષેપવાથી મેરુથી ત્રીજા મંડળની ૪૪૮૨૫ યોજન ૩૫ ભાગ પ્રમાણ અબાધા આવશે. એ પ્રમાણે સર્વાભ્યન્તરમંડળથી માંડીને પ્રત્યેક મંડળોની ઉક્ત (૨ યો4) અંતર પ્રમાણ અબાધા પૂર્વે કાઢેલ મેરુ અને સભ્યન્તરમંડળ ૬૧ વચ્ચેની (૪૪૮૨૦) અબાધા પ્રમાણમાં વધારતાં જતાં (અને સાથે સાથે ઇચ્છિત મંડળની પણ અબાધા કાઢતાં કાઢતાં) જ્યારે સર્વબાહ્ય—અંતિમ મંડળ સુધી પહોંચીએ ત્યારે ત્યાં ૧૮૪મું અંતિમ મંડળ–મેરુથી સર્વબાહ્યમંડળ, પ્રથણ ક્ષણે, ૪૫૩૩૦ યોજન પ્રમાણ અબાધાએ રહેલું હોય છે. એ વખતે ભારતસૂર્ય મેરુ પર્વતથી (૪૫૩૩૦ યોજન દૂર) અગ્નિખૂણે સમુદ્રમાં રહેલો હોય છે અને તેનાં જ વક્ર (ખૂણાથી ખૂણો) સમશ્રેણીએ મેરુથી વાયવ્યકોણમાં બીજો ઐરવતસૂર્ય (મેરુથી ૪૫૩૩૦ યોજન દૂર) રહેલો હોય છે. [અહીંયા આવેલી ૪૫૩૩૦ યોજન અબાધા પ્રમાણમાંથી મેરુથી સભ્યન્તરમંડળ અબાધા પ્રમાણે જે ૪૪૮૨૦ યોજન બાદ કરતાં ૫૧૦ યોજનનું ચારક્ષેત્ર પ્રાપ્ત થાય અને તેમાં અંતિમમંડળનો ભાગ વિમાન વિમ્ભ મેળવતાં ૫૧૦ ૪૮ ભાગ પ્રમાણ સૂર્યમંડળોનું ચારક્ષેત્ર પણ આવી શકે છે. ૬૧ ॥ इति मेरुं प्रतीत्य प्रतिमण्डलमबाधा ॥ हवे बन्ने सूर्योनी प्रतिमण्डले परस्पर अबाधा अने व्यवस्था જ્યારે જંબુદ્રીપના બન્ને સૂર્યો સર્વાભ્યન્તર (પ્રથમ) મંડળે હોય એટલે કેમેરુથી પૂર્વ અને “પશ્ચિમે પ્રત્યેક સૂર્યો સામસામી દિશાએ પ્રથમમંડલ સ્થાનવર્તી ચરતા હોય ત્યારે (સમશ્રેણીએ) ૨૩૪. આ ૨ યોજન અને ૪૮ ભાગ ઉપર કહેવાનો આશય એ છે કે-સર્વાભ્યન્તરમંડળના અંતિમ ભાગથી લઈને બીજું મંડળ ૨ યોજન દૂર છે, અને બીજા મંડળનો એક યોજનના ૪૮ ભાગનો વિસ્તાર તે અબાધામાં ભેગો લેવાનો છે. ૨૩૫. જ્યારે સૂર્યવિમાનો ઉત્તર દક્ષિણમાં વર્તતા હોય ત્યારે કંઈક અધિક અંતરવાળા હોય છે; કારણકે તેઓ પૂર્વ-પશ્ચિમવર્તી સ્વસ્વમંડલસ્થાનેથી પ્રથમ ક્ષણે ગતિ કરે ત્યારે તેઓને ‘કર્ણકીલિકા’ પ્રકારની ગતિથી દૂર દૂર ખસતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy