SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ लवण समुद्रनुं वर्णन ૧૬૬ આ અંતર્દીપોને ગર્ભજમનુષ્યોનાં જે ૧૦૧ ક્ષેત્રો ગણાય છે તેની ગણત્રીમાં ગણવાના છે. આ જંબૂદ્વીપ કે જેનું વર્ણન ઉપર કરાયેલું તે દ્વીપ ૧૨ યોજન ઊંચી રત્નમય જગતીવડે વિંટાયેલો છે. આ જગતીને પૂર્વમાં ૨૧વિના, પશ્ચિમમાં નાન, ઉત્તરમાં ૩૫Uનિત અને દક્ષિણમાં વૈનયન એમ ચાર દ્વારો છે. પ્રત્યેક દ્વાર ચાર યોજન પહોળું અને બને બાજએ પા (બ). પહોળી બારશાખોવાળું છે, એટલે દરેક દ્વાર કા યોજના વિસ્તારવાળું હોવાથી ચાર દ્વારની પહોળાઈ ૧૮ યોજનની થાય છે. આ પહોળાઈ જેબૂદ્વીપના પરિધિમાંથી બાદ કરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તેને, પ્રત્યેક દ્વારનું અંતર કાઢવા ચારે ભાંગી નાંખીએ ત્યારે ૭૯૦૫૨ યોજન ૧–ગાઉ ૧૫૭૨ ધનુષ–૩ અંગુલ એક દ્વારથી બીજા દ્વારોનું પરસ્પર અંતર આવે. કોઈ પણ જગતીઓના દ્વારોની પહોળાઈ સર્વ સ્થાને સરખી હોય છે પણ આગળ આગળના દ્વીપ-સમુદ્રોનાં કારણે પરિધિ વધતો જાય, તેમ તેમ દ્વારોના અંતરમાનમાં વૃદ્ધિ થતી જાય અથતિ દ્વારાન્તરોમાં તફાવત પડે. આ દ્વારો મણિમય દેહલી (ઉંબર) અને રમ્યદ્વાર કપાટ આદિથી સુશોભિત છે. જેમ આ સૃષ્ટિ ઉપર ગૃહદ્વારોને ઉંબરા–ભોગળ હોય છે, તેમ આ દ્વારોને પણ ઉંબરો, બે બે કમાડ તથા કમાડને મજબૂત બંધ કરનાર ભોગળો પણ હોય છે. જગતીનું કંઈક વર્ણન તો પૂર્વે કહેવાયું છે. રૂતિ નંગૂદીપચ ગતિક્ષિHવનનું છે. હિતી નવલકુતવર્ગન–આ જંબૂદ્વીપને ફરતો બે લાખ યોજનના વલયવિખંભવાળો લવણસમુદ્ર છે. તેનો પરિધિ ૧૫૪૮૧૧૩૯ યોજનમાં કાંઈક ન્યૂન છે. આ લવણસમુદ્રમાં ચાર ચાર ચન્દ્ર ને સુર્યો તથા ગૌતમદ્વીપ વગેરે દ્વીપો આવેલા છે. આ લવણસમદ્રમાં ભરતક્ષેત્રના પર્વભાગમાં વહેનારી ગંગાનદી જે સ્થાને મળે છે ત્યાં નદી અને સંગમસ્થાનથી ૧૨ યોજન દૂર માગધ નામના દેવની રાજધાનીથી પ્રસિદ્ધિ પામેલ માગધ નામનો દ્વીપ જેને માથતીર્થ તરીકે કહેવાય છે તે આવેલો છે. એવી રીતે ભારતની પશ્ચિમદિશાએ બીજી સિંધનદીના સંગમસ્થાને ૧૨ યોજન દૂર પ્રભાસદેવની રાજધાનીવાળો દીપ જે પ્રમાણતીર્થ કહેવાય છે. તે આવેલ છે. આ બન્ને તીર્થના મધ્યભાગે તે બે તીર્થની જ સપાટીમાં (નદી–સમુદ્રના સંગમથી ૧૨ યોજન દૂર સમુદ્રમાં જ) વરદામ નામના દેવથી પ્રસિદ્ધ વરવાન તીર્થ આવેલું છે. આ જ પ્રમાણે ઐરાવતક્ષેત્રમાં રક્તવતીના સંગમસ્થાને ૧૨ યોજન દૂર સમુદ્રમાં મળતીર્થ તથા રક્તાના સંગમસ્થાનથી ૧૨ યોજન દૂર પ્રમાણતીર્થ છે, તે બંનેની વચ્ચે પૂર્વવત સમુદ્રમાં વરલામતીર્થ આવેલું છે. ૩૪ વિજયોમાં ઉત્પન્ન થનાર ચક્રવર્તી જ્યારે છ ખંડનો દિવિજય કરવા નીકળે છે ત્યારે પ્રથમ માગધતીર્થની સમીપમાં સમુદ્ર યા નદી કિનારે પોતાના સર્વસૈન્યને સ્થાપી અઠ્ઠમ તપ કરીને એકલો પોતે જ ચાર અજવાળા રથમાં આરૂઢ થઈ રથનો મધ્યભાગ જ્યાં ડૂબે ત્યાં સુધી સમુદ્રમાં ઉતરીને રથ ઉપર ઊભા થઈ, સ્વનામાંકિત જે બાણ તેને માગધદેવની રાજધાનીમાં ફેંકે, તે બાણ ચક્રવર્તીની શક્તિથી ૧૨ ૨૧૯. વિજયાદિ નામના અધિપતિદેવના નિવાસથી આ નામો પડેલાં છે. ૨૨૦. “qvણરસ સતસહસ્સા, પશ્ચાતીત સ વતીનં 1 $િવિવિખૂણો, નવોદિનો રિવધે 9. ૨૨૧. જળાશયમાં ઉતરવા યોગ્ય ઢાળ પડતો ક્રમે ક્રમે નીચે નીચે ગયેલો જે ભૂમિભાગ તે તીર્થ કહેવાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy