SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સમભૂતલ-ચકસ્થાન, એ મેરુના દશ હજાર યોજનાના ઘેરાવાવાળા મેરુના કન્દના ઊર્ધ્વભાગે ધમાં–રત્નપ્રભા પૃથ્વીમાં આવેલાં બે ક્ષુલ્લક પ્રતિરો છે તેનો મધ્યભાગ છે. આ પ્રતિરો ચારે બાજુથી લોકાન્તને સ્પર્શીને રહ્યાં છે. આ પ્રતિરો ચૌદરાજલોકવર્તી સર્વ પ્રતિરો પૈકી લંબાઈ પહોળાઈમાં ક્ષુલ્લક એટલે નાના હોવાથી ક્ષુલ્લક પ્રતિરો તરીકે ઓળખાય છે. આથી જ રુચકપ્રસ્તાર તે જ પ્રતરપ્રસ્તાર એમ પણ કહેવાય છે. આ બન્ને પ્રતરો સામસામા (ઉપર નીચે) રહેલા છે. તેમાં અધઃસ્થાનેથી ઉપર આવતાં જે ક્ષુલ્લક પ્રતર આવે, તેના ઉપરના ભાગે ચાર ઇંચક પ્રદેશો આવેલા છે અને તેની સન્મુખ રહેલા (ઊર્ધ્વના) બીજા ક્ષુલ્લક પ્રતરે (નીચેના ભાગે સંબદ્ધ.) ચાર રૂચકપ્રદેશો આવેલા છે. તે રુચકો સામસામી જોતાં જાણે પરસ્પર સ્પર્ધા કરતા રહ્યા ન હોય? તેમ દેખાય છે. આ સ્થાન ધમપૃિથ્વીમાં ગયેલા મેરુના કન્દના મધ્યભાગમાં સમજવું. આ અષ્ટચકપ્રદેશોને જ્ઞાની પુરુષો વીરસવ' એ નામથી સંબોધે છે. આ પ્રદેશો ગોસ્તનાકારે છે. આ સ્થાનને રુચકસ્થાન તરીકે ઓળખો કે સમભૂતલ તરીકે કહો તે એક જ છે. એક વાત સમજી રાખવી જોઈએ કે, કોઈ પણ પ્રસ્થમાં કોઈ પણ વસ્તુના નિર્દેશમાં ‘સનમૂના IC' શબ્દ માત્ર કહ્યો હોય, તો તેમાં ચકસ્થાન અન્તર્ગત આવી જાય છે અને જ્યાં રુઝાતુ એટલું માત્ર કહ્યું હોય તો તેથી સમભૂતલા સ્થાન પણ કહી શકાય છે, કારણકે સમભૂતલ અને રુચક એ એક જ સ્થાનવાચી શબ્દો છે. આ પ્રમાણે સઘળા "સિદ્ધાન્તો “ધમપૃિથ્વીમાં જ (રત્નપ્રભામાં) ક્ષુલ્લકપ્રતર અને અષ્ટરુચક પ્રદેશો માનવા” એવું સૂચન કરે છે અને સાથે સાથે તે જ સમભૂતલ સ્થાન છે. તે જ દિશા અને વિદિશાનું પ્રભવસ્થાન છે તથા તે જ તિર્યલોકનું મધ્ય છે, એટલે કે રુચકસ્થાન-સમભૂતલસ્થાન અને દિશાભવસ્થાન એ ત્રણેનું સ્થાન એક જ છે એમ સ્પષ્ટપણે જણાવે છે. આ સમભૂતલ–ચકસ્થાન તે જ તિથ્વીલોકનું મધ્ય છે, એટલું જ નહિ પણ મેરુપર્વતના વનખંડાદિની ઊંચાઈ વગેરે તથા અધોગ્રામની શરૂઆત પણ આ ચકથી જ પ્રારંભાયેલી છે અને ત્યાંથી જ એક હજાર યોજન ઊંડાપણું લેવાનું છે. મંડHપ્રકરણમાં સ્પષ્ટ જણાવ્યું છે કે “સમૂતતાપેક્ષા યોનનસદસ્યમથોથામા:” શ્રીનવુક્ષેત્રસમાસ મૂનમાં પણ એ જ વાતનું સમર્થન કરેલું છે. (5) ११. मेरुमध्यस्थिताष्टप्रदेशात्मकरुचकसमानाद्भूतलादाभ्यो दशोनयोजनशतेभ्य आरभ्योपरि दशोत्तरयोजनशते તિષ્ઠાસ્તિઇન્તીતિ’ મિંડલપ્રકરણ આવા જ ઉલ્લેખો શ્રી જીવાભિગમ, જંબૂઢીપ્રજ્ઞપ્તિ, તત્ત્વાર્થસૂત્ર ભાષા–ટીક, સંગ્રહણી–ટીકા, ક્ષેત્રસમાસ–ટીકા, લોકનાલિકા, જ્યોતિષકરણ્ડક, દેવેન્દ્રસ્તવ, આવશ્યકની ટીકાઓ વગેરે અનેક ગ્રન્થોમાં જણાવેલ છે. ૧૨૪. યાહુ :-“ ડત્ર શાનાં ય ઘતુક ચિતમ્ | તત્સમforૐ તઇ વિયં પ્રતિદ્વયમ્ ||' ૧૨૫. તત્ત્વાર્થસૂત્ર અ૦ ૩, સૂ. ૬ની સિદ્ધસેનીય ટીકામાં સમતાટુ ભૂમા IÇ....એ પંક્તિમાં રત્નપ્રભાવર્તી ક્ષુલ્લક પ્રતરીની વાત કરી છે. પણ લાગે છે કે તે “ઉપરિતન અધિસ્તન’ નામથી સૂચિત પ્રતિરોની વાત છે, નહીં કે સર્વથી ‘લઘુક્ષુલ્લકપ્રતિરો'ની વાત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy