SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1012
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ ગતિ આશય આહારમાન, તાવિધ ભવપારિક સંપત્તિ રક સર્વ તિર્યંચ તથા સર્વ મનુષ્યોને સચિત્ત, અચિત્ત અને (સચિત્તાચિત્ત) મિશ્ર એમ ત્રણે પ્રકારનો આહાર હોય છે. દેવ અને નારકીને અચિત્ત આહાર હોય છે. (૧૮૫) आभोगाऽणाभोगा, सव्वेसि होइ लोम आहारो । निरयाणं अमणुनो, परिणमइ सुराण स मणुण्णो ॥१८६॥ સર્વ જીવોને લોમહાર જાણતાં અથવા અજાણતાં પરિણમે છે, તેમાં નારીને અમનોજ્ઞ (અપ્રિય) અને દેવોને તે આહાર મનોશ (પ્રિય) પણે આહાર પરિણમે છે. (૧૮૬) तह विगलनारयाणं, अंतमुहत्ता स होइ उक्कोसो । पंचिंदितिरिनराणं, साहाविय छ? अट्ठमओ ॥१८७॥ વિકસેન્દ્રિય તથા નારકીના જીવોને સામાન્યતઃ સતત આહારની અભિલાષા હોય છે, પરંતુ ઉત્કૃષ્ટથી આહારાભિલાષનું અંતર પડે તો અંતર્મુહૂર્તનું પડે, તથા પંચેન્દ્રિયતિર્યંચ તેમજ મનુષ્યોને ૪૮ કલાક અને ૭૨ કલાકનું ઉત્કૃષ્ટ અંતર જાણવું. (૧૮૭). विग्गहगइमावना, केवलिणो समूहया अजोगी य । सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ॥१५॥ વિગ્રહગતિમાં વર્તતા, કેવલિસમુઘાતના ત્રીજા-ચોથા–પાંચમા સમયમાં વર્તતા, અયોગી ગુણસ્થાનમાં વર્તતા અને સિદ્ધના જીવો અણાહારી છે, બાકીના જીવો આહારી છે. (૧૮૮) केसठ्ठिमंसनहरोम-रुहिरवसचम्ममुत्तपुरिसेहिं । रहिआ निम्मलदेहा, सुगंधिनीस्सास गयलेवा ॥१८६॥ अंतमुहुत्तेणं चिय, पजत्तातरुणपुरिससंकासा । सवंगभूसणधरा, अजरा निरुआ समा देवा ॥१६॥ अणिमिसनयणा, मणक-जसाहणा पुष्फदामअमिलाणा । चउरंगुलेण भूमि, न छिबंति सुरा जिणा बिंति ॥१६॥ કેશ હાડકું-માંસ-નખ-રોમ-રૂધિર–ચરબી-ચામડી મૂત્ર, ઝાડો વગેરેથી રહિત નિર્મલ શરીરવાળા, સુગંધી શ્વાસવાળા, પરસેવા વગરના, ઉત્પન્ન થવાની સાથે અંતર્મુહૂર્તમાં જ યુવાન પુરુષના સરખા થવાવાળા, સવાગે આભૂષણ ધારણ કરવાવાળા, વૃધ્ધાવસ્થા રહિત, રોગ રહિત, અને સમચતુરઐસંસ્થાનવાળા દેવો હોય છે, તેઓને આંખનો મીંચકારો હોતો નથી, મનોવાંછિત કાર્ય કરનારા હોય છે, અમ્યાન પુષ્પોની માળા ધારણ કરે છે અને જમીનથી ચાર અંગુલ ઊંચા રહેનારા હોય છે. (૧૮૯-૧૯૦–૧૯૧). पंचसु जिणकल्लाणे-सु, चेव महरिसितवाणुभावाओ । અનંત નેાિ ય, કાછતિ સુરા રૂછું ૧૬રા શ્રી જિનેશ્વર દેવોના પાંચે કલ્યાણકોમાં, મહાન યોગીશ્વરના તપના પ્રભાવથી તેમજ જન્માન્તરના સ્નેહના. કારણે દેવો પૃથ્વી ઉપર આવે છે. (૧૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy