________________
આપણો આત્મા આપણાથી કેટલો છેટો છે ? એક તલ જેટલો પણ છેટો નથી. આપણે જ આત્મા છીએ. એ “સત્'નું એટલે તે ભગવાન આત્માનું નિશ્ચયપૂર્વક શ્રવણ કરવું, મનન કરવું, નિદિધ્યાસન કરવું. (પા. ૪૨)
સંસારને ઉપાસનાનો ભાવ સર્વથા ત્યાગવો. પોતે ગમે તેટલા હોંશિયાર હોય તો પણ પોતે જાણ્યું હોય એ બધું છોડી દેવું, અને જે આજ્ઞાઓ થાય તેનું આરાધન કરવું. (પા. ૫૦)
આપણે વિભાવ પરિણતિમાં જ છીએ. આ દુનિયાની વસ્તુઓ, આ શરીર, સગાં, સંપત્તિ એ બધાની સાથે એકપણું અધ્યાસથી થયેલું છે, પોતે કેવળ એનાથી સંપૂર્ણ રીતે ભિન્ન છે. એ પ્રગટ થાય
ગુરૂવાણી « પ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org