________________
**
-
જેણે જન્મમરણના ફેરા ટાળવા હોય તેણે જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને જેણે જ્ઞાન મેળવવું હોય તેણે જ્ઞાનની ઇચ્છા મુજબ વર્તવું જોઈએ. પોતાની ઈચ્છા મુજબ વર્તે એ સ્વચ્છંદી કહેવાય. અને સ્વછંદીપણું હોય ત્યાં સુધી કર્મ કપાય નહીં.
અત્યાર સુધી આપણે શું કામ રખડીએ છીએ ? આ ધર્મની બાબતમાં આપણને ગમ્યું એ ખરું એમ કહી આંખો મીંચીને કર્યા જઈએ છીએ. જ્યાં સુધી સાચો માર્ગ મળે નહીં ત્યાં સુધી રખડવાનું છે. સાચા માર્ગની શોધ તો કરવી જ જોઈએ. એટલે કે સાચા જ્ઞાનની શોધ તો કરવી જ જોઈએ. કેમ કે જે સાચા માર્ગે ચાલ્યો હોય, જેણે સાચો માર્ગ જોયો હોય એ જ સાચો માર્ગ બતાવી શકે.
ગુરૂવાણી ૦ ૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org