SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સુધા પોતજ : આદિ. પોત અર્થાત્ ચર્મરૂપ થેલી. પોતથી ઉત્પન્ન થનારા-હાથી ચામાચિડિયા જરાયુજ : ગર્ભને જર વીંટાળયેલા હોય છે. તે જન્મ સમયે બાળકને ઢાંકી રાખે છે. તે જરાયુની સાથે ઉત્પન્ન થાય છે - ગાય, ભેંસ આદિ. ૧૯૫ રસજ : રસવાળા પદાર્થો (છાશ, દહીં આદિ) બગડી જાય ત્યારે તેમાં જ કીડા ઉત્પન્ન થાય છે તે. સ્વેદજ : પસીનામાં ઉત્પન્ન થનારા જીવો-જૂ, લીખાદિ. સંમૂચ્છિમ : બહારના વાતાવરણના સંયોગથી ઉત્પન્ન થનારા જીવો-માખી, મચ્છર, કીડી, ભમરા આદિ. ઉદ્ભિજ : ધરતીને ભેદીને નીકળનારા જીવો-તીડ-પતંગિગા વગેરે. ઔપપાતિક-ઉદ્ભિજ : ઉપપાતનો અર્થ છે એકાએક બનતી ઘટના. આગમ દૃષ્ટિએ દેવશય્યામાં દેવ અને કુંભિમાં નારકી ઉત્પન્ન થઈ-એક મુહૂર્તમાં સંપૂર્ણ યુવાન બની જાય તે. -પ્રથમના ત્રણ ગર્ભ જ, ૪ થી ૭ સુધીના સંમૂચ્છિમ અને આઠમા દેવ, નારકી આ રીતે જન્મની અપેક્ષાએ જીવના ત્રણ પ્રકાર છે. (૧) મંદતા-વિવેક બુદ્ધિની અલ્પતા તથા (૨) અજ્ઞાન-આ બન્ને સંસાર પરિભ્રમણનાજન્મમરણના મુખ્ય કારણ છે. વિવેક દૃષ્ટિ તેમજ જ્ઞાનનો વિકાસ થવો એ સંસારથી મુક્તિનો ઉપાય છે. નવ પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય. દશ પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંજ્ઞી અને અસંજ્ઞી પંચેન્દ્રિય. અગિયાર પ્રકારે : સૂક્ષ્મ, બાદર, ત્રણ વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં જલચર, સ્થલચર, નભથ્થર, મનુષ્ય, દેવતા, નારક. બાર પ્રકારે : છકાયના પર્યાપ્ત તથા અપર્યાપ્ત. તેર પ્રકારે : ઉપલા બાર ભેદ સંવ્યવહારિક તથા એક અસંવ્યવહારિક (સૂક્ષ્મ નિગોદનો). ચૌદ પ્રકારે : ગુણસ્થાનકઆશ્રયી અથવા સૂક્ષ્મ, બાદર, ત્રણ વિકલેન્દ્રિય તથા સંજ્ઞી, અસંશી એ સાતના પર્યાપ્ત અને અપર્યાપ્ત. Jain Education International એમ બુદ્ધિમાન પુરુષોએ સિદ્ધાંતને અનુસરી જીવના અનેક ભેદ (છતા ભાવના ભેદ) કહ્યા છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005470
Book TitleSwadhyaya Sudha
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2007
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy