SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સ્વાધ્યાય સુધા કદાચ સાતમા ગુણસ્થાનક ઉપરનો વિચાર અનુભવમાં ન આવી શકે, પરંતુ સુપ્રતીતિ થઈ શકવા યોગ્ય છે. (૧૪૯) સિંહના દાખલાની માફક : સિંહને લોઢાના જબરજસ્ત પાંજરામાં પૂરવામા આવ્યો હોય તો તે અંદર રહ્યો પોતાને સિંહ સમજે છે, પાંજરામાં પુરાયેલો માને છે; અને પાંજરાની બહારની ભૂમિકા પણ જુએ છે, માત્ર લોઢાના મજબૂત સળિયાની આડને લીધે બહાર નીકળી શકતો નથી. આ જ રીતે સાતમા ગુણસ્થાનક ઉપરનો વિચાર સુપ્રતીતિ થઈ શકે છે. (૧૫૦) આ પ્રમાણે છતાં જીવ મતભેદાદિ કારણોને લઈને રોકાઈ જઈ આગળ વધી શકતો નથી. (૧૫૧) મતભેદ અથવા રૂઢિ આદિ નજીવી બાબત છે, અર્થાત્ તેમાં મોક્ષ નથી. માટે ખરી રીતે સત્યની પ્રતીતિ કરવાની જરૂર છે. ૧૪૬ થી ૧૫૧માં સમજાય તેમ હોવાથી વિશ્લેષણ કર્યું નથી. વિચારવાથી સમજાઈ શકે તેમ છે. (૧પર) શુભાશુભ અને શુદ્ધાશુદ્ધ પરિણામ ઉપર બધો આધાર છે. અલ્પ અલ્પ બાબતમાં પણ દોષ માનવામાં આવે ત્યાં મોક્ષ થતો નથી. લોકરૂઢિમાં અથવા લોકવ્યવહારમાં પડેલો જીવ મોક્ષતત્ત્વનું રહસ્ય જાણી શકતો નથી, તેનું કારણ તેને વિષે રૂઢિનું અથવા લોકસંજ્ઞાનું માહાભ્ય છે. આથી કરી બાદરક્રિયાનો નિષેધ કરવામાં આવતો નથી. જે કાંઈ પણ ન કરતાં તદ્દન અનર્થ કરે છે, તે કરતાં બાદરક્રિયા ઉપયોગી છે. તોપણ તેથી કરી બાદરક્રિયાથી આગળ ન વધવું એમ પણ કહેવાનો હેતુ નથી. (૧૫૩) જીવને પોતાના ડહાપણ અને મરજી પ્રમાણે ચાલવું એ વાત મનગમતી છે, પણ તે જીવનું ભૂંડું કરનાર વસ્તુ છે. આ દોષ મટાડવા સારુ પ્રથમ તો કોઈને ઉપદેશ દેવાનો નથી, પણ પ્રથમ ઉપદેશ લેવાનો છે, એ જ્ઞાનનો ઉપદેશ છે. જેનામાં રાગદ્વેષ ન હોય, તેવાનો સંગ થયા વિના સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. સમ્યકત્વ આવવાથી પ્રાપ્ત થવાથી) જીવ ફરે છે, (જીવની દશા ફરે છે); એટલે પ્રતિકૂળ હોય તો અનુકૂળ થાય છે. જિનની પ્રતિમા (શાંતપણા માટે) જોવાથી સાતમા ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીની જે શાંત દશા છે તેની પ્રતીતિ થાય છે. - લોકરૂઢિ, લોકવ્યવહાર અને તેનું જ માહાલ્ય હોય તો આગળ વધી ન શકાય, જીવને સ્વછંદે ચાલવું છે. જે જીવને રખડાવનાર છે. સદગુરુના સંગ વિના સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. જિનની પ્રતિમા જ્ઞાનીની અપ્રમત્ત ગુણસ્થાનકે વર્તતી જે દશા-શાંત દશા છે, તેનું ભાન કરાવવા માટે ઉપયોગી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005470
Book TitleSwadhyaya Sudha
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2007
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy