________________
ന
ഫ
(3) શંકા - શિષ્ય ઉવાચ :(આત્મા કર્મનો કર્તા નથી, એમ શિને કહે છે) કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨ માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ૭૩
(૩) સમાધાન - સદ્ગુરુ ઉવાચ :
* លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល
હોય ને ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ઘર્મ. ૭૪ જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ. ૭૫ કેવલ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૬ કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષ પ્રભાવ. ૭૭ ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્ત નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. ૭૮
જOOOOOOOOOOQ
પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર દેવ રચિત પદો
U
OT | ૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org