________________
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
0000000000000000
એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; મૂ. ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂ. ૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ; મૂ. ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂ. ૧૧ આણંદ
૨૯મું વર્ષ :
OU
૩૨
Jain Education International
→
૩૭. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૧ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાષ્યો અત્ર અગોપ્ય. ૨ કોઈ ક્રિયા-જડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતાં, અંતર ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતાં, તેહ ક્રિયાજડ આઈ. ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહી; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. ૫ વૈરાગ્યાદિ સફ્ળ તો, જો સહ આતમજ્ઞાન; તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૬ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. ૭
વીર-રાજપથદર્શિની-૧
For Personal & Private Use Only
CCC
www.jainelibrary.org