________________
ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રી નંદિસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭ વ્રત નહીં પચ્ચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઇનો, મહાપા તીર્થકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લ્યો, છેદ્યો અનંતા.
૨૪મું વર્ષ : રાળજ
૩૫. પરમપદ પ્રાપ્તિની ભાવના અંતર્ગત
ગુણશ્રેણી સ્વરૂપ
અપૂર્વ અવસર એવો કયારે આવશે? કયારે થઇશું બ્રાહ્માંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીર્ણ છેદીને, વિચરશું કવ મહત્પરુષને પંથ જો ? અપૂર્વ. ૧ સર્વ ભાવથી ઓદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કર્ભે નહીં, દેહે પણ કિંચિત મૂછ નવ જોય જો. અપૂર્વ. ૨ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે,
વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ. ૩ OOOOOOOOOy
9
y 3,
પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ રચિત પદો!
૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org