________________
Eવ્ય
૩૦. ૐ સત્ શ્રી સદ્ગુરુભક્તિ રહસ્ય
(દોહરો) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરૂણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી; આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહિ. ૩ જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ હું પામર શું કરી શકું?” એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અચિંત્ય તુજ માહાત્મનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૭ અચળરૂપ આસકિત નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ્ય તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ ભક્તિ માર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહિ નિજધર્મની નહિ શુભ દેશે સ્થાન. ૮ કાળદોષ કળીથી થયો, નહિ મર્યાદા ધર્મ; તોયે નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦
iUUOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ રચિત પદો
૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org