SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Eવ્ય ૩૦. ૐ સત્ શ્રી સદ્ગુરુભક્તિ રહસ્ય (દોહરો) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરૂણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી; આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહિ. ૩ જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ હું પામર શું કરી શકું?” એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અચિંત્ય તુજ માહાત્મનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૭ અચળરૂપ આસકિત નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ્ય તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ ભક્તિ માર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહિ નિજધર્મની નહિ શુભ દેશે સ્થાન. ૮ કાળદોષ કળીથી થયો, નહિ મર્યાદા ધર્મ; તોયે નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ iUUOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ રચિત પદો ૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy