________________
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, ઘો પ્રાણીને દળવા દોષ. ૨ સત્ય, શીળ ને સઘળાં દાન, દયા હોઇને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ. ૩ પુષ્પપાંખડી જ્યાં દૂભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. ૪ સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ ! ૫
ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܙ
એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે, કરી ઉત્સાહ; ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. ૭ તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરૂણાએ સિદ્ધ. ૭ ૧૦મા વર્ષે : વવાણીયા
१४
Jain Education International
૨૧. બ્રહ્મચર્ય વિષે સુભાષિત
(દોહરા)
નીરખીને નવયોવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧
આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગ્યું બધું, કેવળ શોકસ્વરૂપ. ૨ એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયેં, દળ, પુર ને અધિકાર. ૩
વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪
વીર-રાજપથદર્શિની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org