________________
૧૭. દોહરો વચનામૃત વીતરાગનાં, પરમ શાંત રસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.
૧૭મા વર્ષે : વવાણીયા
૧૮. જિનેશ્વરની વાણી
(મનહર છંદ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વરતણી વાણી જાણી તેણે જાણી છે.
- ૧૭મા વર્ષેઃ વવાણીયા
૧૯. અમૂલ્ય તત્વવિચાર
(હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે? ભવચક્રનો આંટો નહીં એકકે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો? ૧ ឬលលលលល0000000000000000 ૧૦ |
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org