SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ vvvvvr વિષેનો છે. તેમાં (૧) પ્રથમ પ્રકાર શ્રેષ્ઠ છે. અને બીજા કરતાં ત્રીજો સારો ગણાય છે. આત્મા પ્રગટ કરવા માટે ધ્યાનમાં ગુરુગમનું સાધન જ ખૂબ ઉપયોગી છે. “આ આત્મા વિભાવ પરિણામને ભજે છે ત્યાં સુધી આત્માને ચંદનવૃક્ષ કહીએ છીએ,” તે અરૂપી વસ્તુને સમજાવવા રૂપી વસ્તુનો દાખલો આપેલ છે કે જંગલમાં ચંદનવૃક્ષ ગોતવા નિકળ્યા તો ચંદનવૃક્ષ પાસેના અન્ય વૃક્ષોમાં ચંદનની ગંધ આવે છે. તેથી ખાત્રી થાય છે કે આટલામાં ચંદનવૃક્ષ હોવું જોઈએ. તેમ ગુરુગમમાં ધ્યાનનું જે સાધન બતાવ્યું તે આત્માથી સૌથી નજીક હોઈ તેમાં આત્માની છાયા-સુગંધ આવે છે. તેથી તે ધ્યાનથી-પ્રાણાયામ કરતાં પણ આત્મા સહજ વહેલો પ્રગટ થાય છે. આ વાત પત્રમાં બરાબર લખાય નહીં. સમાગમે સમજાવાય. છતાં ઉપરનાથી તમો સમજી શકશો, તેમ ખાત્રી છે. આપના પૂ. સાસુજી, પૂ. માતુશ્રી તથા શ્રીમાન્ શેઠ ભાઈશ્રી ચિમનભાઈને વંદન સાથે યાદી આપશો. મારી આંગળીએ સારું છે. મલમ લાગાડી પાટો બંધાય છે. મારી તબીયત સારી છે. તમોને ખુશી મજામાં ચાહું છું. ܩܩܩܩܐ τι ૧૧૪ Jain Education International લી. લાડકચંદ વોરાના આત્મભાવે વંદન ૬૩ પરમ પૂજ્ય સદ્ગુરુદેવાય નમઃ લંડન આવ્યાને ૧ મહિનો લગભગ થવા આવ્યો છે. પત્ર લખવામાં ઘણી જ ઢીલ થઈ માટે ક્ષમા આપશો. કોલ પર બે ત્રણ મિનીટ વાત થઈ હતી. અહીં આવ્યાને શરૂઆતમાં એક અઠવાડીયું Comberland TOT London, તા. ૧૮-૯-૭૮ વીર-રાજપથદર્શિની-૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy