________________
vvvvvr
વિષેનો છે. તેમાં (૧) પ્રથમ પ્રકાર શ્રેષ્ઠ છે. અને બીજા કરતાં ત્રીજો સારો ગણાય છે. આત્મા પ્રગટ કરવા માટે ધ્યાનમાં ગુરુગમનું સાધન જ ખૂબ ઉપયોગી છે. “આ આત્મા વિભાવ પરિણામને ભજે છે ત્યાં સુધી આત્માને ચંદનવૃક્ષ કહીએ છીએ,” તે અરૂપી વસ્તુને સમજાવવા રૂપી વસ્તુનો દાખલો આપેલ છે કે જંગલમાં ચંદનવૃક્ષ ગોતવા નિકળ્યા તો ચંદનવૃક્ષ પાસેના અન્ય વૃક્ષોમાં ચંદનની ગંધ આવે છે. તેથી ખાત્રી થાય છે કે આટલામાં ચંદનવૃક્ષ હોવું જોઈએ. તેમ ગુરુગમમાં ધ્યાનનું જે સાધન બતાવ્યું તે આત્માથી સૌથી નજીક હોઈ તેમાં આત્માની છાયા-સુગંધ આવે છે. તેથી તે ધ્યાનથી-પ્રાણાયામ કરતાં પણ આત્મા સહજ વહેલો પ્રગટ થાય છે. આ વાત પત્રમાં બરાબર લખાય નહીં. સમાગમે સમજાવાય. છતાં ઉપરનાથી તમો સમજી શકશો, તેમ ખાત્રી છે.
આપના પૂ. સાસુજી, પૂ. માતુશ્રી તથા શ્રીમાન્ શેઠ ભાઈશ્રી ચિમનભાઈને વંદન સાથે યાદી આપશો. મારી આંગળીએ સારું છે. મલમ લાગાડી પાટો બંધાય છે. મારી તબીયત સારી છે. તમોને ખુશી મજામાં ચાહું છું.
ܩܩܩܩܐ
τι ૧૧૪
Jain Education International
લી. લાડકચંદ વોરાના આત્મભાવે વંદન
૬૩
પરમ પૂજ્ય સદ્ગુરુદેવાય નમઃ
લંડન આવ્યાને ૧ મહિનો લગભગ થવા આવ્યો છે. પત્ર લખવામાં ઘણી જ ઢીલ થઈ માટે ક્ષમા આપશો. કોલ પર બે ત્રણ મિનીટ વાત થઈ હતી. અહીં આવ્યાને શરૂઆતમાં એક અઠવાડીયું Comberland
TOT
London, તા. ૧૮-૯-૭૮
વીર-રાજપથદર્શિની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org