________________
હોવાથી જય તળેટી શણગારવામાં આવી હતી. અમે સાંજે બધાં જયતળેટીએ દર્શન કરવા ગયાં. શું ભવ્ય દશ્ય હતું? આ દૃશ્ય વારંવાર જોઇ જ રહ્યાં.
પલ્લવીયા પાર્શ્વનાથના ગેટથી જય તળેટી સુધીનો રસ્તો રંગોળીઓ, દીવડાઓ, ગહુલીઓ અને ફુલોના હારથી સજાવવામાં આવ્યો હતો. ચારે બાજુ કમાનો કરેલી હતી. સાથિયા, રંગોળી પૂરેલી હતી અને તેમાં દરેક જગ્યાએ ગ્લાસમાં ઘીના દીવડા હતા. જાણે સ્વર્ગલોક ધરતી ઉપર ઉતરી આવ્યું હોય તેવું દશ્ય હતું.
વાજતે ગાજતે મહારાજ સાહેબ તથા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા બધાં જય તળેટીએ આવી બેઠાં હતાં, જય તળેટીનો રંગમંડપ ઠસોઠસ ભરાઈ ગયો હતો. એક બહેનની વધારે તપસ્યા હતી. મહારાજ સાહેબે માંગલિક બોલ્યા પછી બહેનના માથે વાસક્ષેપ નાંખ્યો. ત્યાં જોયું તો તે બહેનના માથે વાસક્ષેપનો ચમત્કાર થયો. માથે વાસક્ષેપનો ઢગલો થઈ ગયો. બધાં જ તે દશ્ય જોવા અને બહેનના માથેથી વાસક્ષેપ લેવા પડાપડી કરવા લાગ્યા. અમે પણ વાસક્ષેપ લેવા ભીડમાં ગયાં. અમે બધાં એકબીજાથી છૂટાં પડી ગયાં. વાસક્ષેપની કંઈક પ્રસાદી મળી તે વખતનું વાતાવરણ અદ્ભુત હતું. બહુ જ આનંદ આવ્યો.
આમ અમારો સમય પાલનપુર ધર્મશાળા - જય તળેટી - દાદાનો દરબાર - ઘેટી પાગ અને નવ ટૂંક બસ અમારું મન આમાં જ રમ્યા કરતું. અદ્ભુત અનુભવો થતા હૃદયના તાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org