________________
-
૫૧
કઠીન હોવાથી ડોળીવાળાના આગ્રહથી હું ૧૫ મિનિટ માટે ડોળીમાં બેઠી. ડોળીવાળાઓ માટે પણ આ કપરું ચઢાણ હતું.
થોડું ચાલીને અને થોડું ચઢીને બે કલાક પછી અમે બધાં દાદાની ટૂંક પર આવી ગયાં. બધાં જ દાદાના પ્રક્ષાલ માટે દોડ્યાં. રોજની જેમ ધક્કામાં આગળ વધ્યાં જ્યારે અમારો વારો આવ્યો (ગભારામાં) ત્યારે દિલ નાચી ઊઠ્યું. શત્રુંજય નદીનું પાણી અમે ગોઠીને આપ્યું. તેણે મોટા પીપમાં તે પાણી નાખ્યું. પછી અમને પ્રક્ષાલ કરવા કળશમાં પાણી આપ્યું. અમે બધાંએ બહુ જ ભાવથી દાદાનો પ્રક્ષાલ કર્યો.
બધી વિધિ પૂર્ણ કરી અમે નીચે તળેટીએ આવી ગયાં. પછી ધર્મશાળામાં આવ્યાં. તૈયાર થઇ બધાં જ એકાસણાં કરવા નીચે આવ્યાં. અહીં પીરસનાર મહારાષ્ટ્રીયન છોકરાઓ છે. બહુ જ માયાળુ છે. ખૂબ પ્રેમથી પીરસે છે. લો, બહેન ! આ લો, ભાઈ ! આ લો, તે લો, આમ પ્રેમથી પીરસતા જાય છે. તેમનો પ્રેમ જોઇ પેટ ભરાઈ જાય છે. આમ અમારા દિવસો કંઈક મેળવ્યું છે તેના આનંદમાં પસાર થઈ રહ્યા છે.
યાત્રા દિવસ – ૧૯-૨૩
આજે તળેટીએ માળનો વરઘોડો હોવાથી ઉપર દાદાના પ્રક્ષાલમાં બહુ ગીરદી ન હતી. આજે બાવન જિનાલયમાં ખૂબ શાંતિથી પૂજા કરી. ઘણો જ ઘણો આનંદ આવ્યો. નીચે મહાપૂજન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org