________________
૧૧૮
શ્રદ્ધાવિણ કુણ ઈહાં આવે રે, આ૦લઘુ જળમાં કેમ તરાય રે. આ.૦ તિણે હાથે હવે પ્રભુ ઝાલો રે, આ૦ શુભવીરને હૈડે વહાલો રે. આ૦
સિદ્ધાચલ શિખરે દીવો રે .... (2)
સિટ
શ્રી રે સિદ્ધાચલ ભેટવા શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજ મન અધિક ઉમાહ્યો, ઋષભદેવ પૂજા કરી, લીજે ભવતણો લાહો.
- શ્રી રે સિદ્ધાચલ ભેટવા.....(૧) મણિમય મૂરતિ શ્રી ઋષભની, નીપાઈ અભિરામ, ભવન કરાવ્યાં કનકના, રાખ્યા ભરતે નામ.
શ્રી રે સિધ્ધાચલ ભેટવા......(૨) નેમ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણી, શેત્રુજા સમો તીરથ નહિ, બોલ્યા સીમંધર વાણી.
શ્રી રે સિદ્ધાચલ ભેટવા..(૩) પૂરવ નવ્વાણું સમોસર્યા, સ્વામી શ્રી ઋષભજિણંદ, રામ પાંડવ મુગતે ગયા, પામ્યા પરમાનંદ.
શ્રી રે સિદ્ધાચલ ભેટવા......(૪) પૂરવ પુણ્ય પસાઉલે, પુંડરીકગિરિ પાયો, કાંતિવિજય હરખે કરી, શ્રી સિદ્ધાચલ ગાયો.
શ્રી રે સિદ્ધાચલ ભેટવા...()
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org