________________
૧૧૨
એશી યોજન પૃથલ છે, ઊંચ પણે છવ્વીશ મહિમાએ મોટો ગિરિ, મહાગિરિ નામ નમીશ. (સિ.-૬) ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વંદનીક, જેહવો તેહવો સંયમી, એ તીર્થે પૂજનીક, વિપ્ર લોક વિષધર સમા, દુઃખિયા ભૂતલ માન, દવ્યલિંગી કણક્ષેત્ર સમ, મુનિવર છીય સમાન, શ્રાવક મેઘ સમા કહ્યા કરતા પુણ્યનું કામ, પુણ્યની રાશિ વધે ઘણી, તિણે પુણ્યરાશિ નામ. (સિ.-૭) સંયમધર મુનિવર ઘણા, તપ તપતા એક ધ્યાન, કર્મ-વિયોગે પામિયા, કેવલ-લક્ષ્મી-નિધાન, લાખ એકાણું શિવ વર્યા, નારદશું અણગાર, નામ નમો તિણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર. (સિ.-૮). શ્રી સીમંધર સ્વામીએ, એ ગિરિમહિમા વિલાસ, ઈદ્રની આગે વર્ણવ્યો, તિણે એ ઇંદ્રપ્રકાશ. (સિ.-૯) દશકોટી અણુવ્રતધરા, ભક્ત જમાડે સાર, જૈન તીરથ યાત્રા કરે, લાભ તણો નહિ પાર, તેહ થકી સિધ્ધાચલે, એક મુનિને દાન. દેતાં લાભ ઘણો હુવે, મહાતીરથ અભિધાન. (સિ.-૧૦) પ્રાયઃ એ ગિરિ શાશ્વતો, રહેશે કાલ અનંત, શત્રુંજય મહાતમ સુણી, નમો શાશ્વતગિરિ સંત. (સિ.-૧૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org