________________
૧૧૧
આદિજિન સન્મુખ રહી, ખમાસમણ બહુવાર, એકવીશ નામે વર્ણવ્યો, તિહાં પહેલું અભિધાન, શત્રુંજય શુક૨ાજથી, જનક વચન બહુમાન. (સિ.-૧) (સિદ્ધાચલ.... એ દુહો આખો બોલી દરેક ઠેકાણે ખમાસમણ દેવું.) સમોસર્યા સિદ્ધાચલે, શ્રી પુંડરીક ગણધાર લાખ સવા મહાતમ કહ્યું, સુર ન૨ સભા મોઝાર. ચૈત્રી પૂનમને દિને, કરી અણસણ એક માસ પાંચ કોડી મુનિ સાથશું, મુક્તિનિલયમાં વાસ, તિણે કારણ પુંડરિકગિરિ, નામ થયું વિખ્યાત, મન વચન કાર્ય વંદીએ, ઊઠી નિત્ય પ્રભાત. (સિ.-૨)
વીશ કોડિશું પાંડવા, મોક્ષ ગયા ઈણે ઠામ, એમ અનંત મુગતે ગયા, સિધ્ધક્ષેત્ર તિણે નામ. (સિ.-૩)
અડસઠ તીર્થ ન્હાવતા, અંતરંગ ઘડી એક, તુંબી-જલ સ્નાને ક૨ી, જાગ્યો ચિત્ત વિવેક, ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મલ ધામ, અચલ પદે વિમલા થયા, તિણે વિમલાચલ નામ. (સિ.-૪)
પર્વતમાં સુગિરિ વડો, જિન અભિષેક કરાય, સિધ્ધ હુઆ સ્નાતક પદે, સુરિગિર નામ ધરાય, ભરતાદિ ચૌદ ક્ષેત્રમાં, એ સમો તીરથ ન એક, તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક. (સિ.-૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org