SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિની ઉત્પત્તિ અને પ્રાચીન ઈતિહાસ બીજો ઉલ્લેખ (સ્તાત્રાંક ૪૧, ૪૨, ૫૪, ૫૬, ૮૦, ૧૪૧માં એ છે કે, વર્તમાન વીશીમાં થયેલા આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભ ભગવાનને પહેલા દેવલોકના તેમના સમયના સૌધર્મેન્દ્ર પૂછ્યું: હે ભગવન્! મારે મેક્ષ ક્યારે થશે ?” ભગવાને કહ્યું: “ચાલુ વીશીમાં ત્રેવીસમા તીર્થ કર શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર થશે, તેમના તમે આઠમા ગણધર થઈને એ જ ભવમાં મેક્ષે જશે.” આ વાત સાંભળીને અત્યંત ખુશ થયેલા સૌધર્મેન્દ્ર દેવલોકમાં જઈને શ્રી પાર્શ્વનાથ પ્રભુની અતિ મનહર મૂર્તિ નવી તૈયાર કરાવી અને પિતાના વિમાનમાં સ્થાપન કરીને હમેશાં ભક્તિપૂર્વક તેમની પૂજા કરવા માંડી. એમ ઇંદ્રઇંદ્રાણી વગેરેએ ઘણા કાળ સુધી એ મૂર્તિની ત્યાં પૂજા કરી. ઉપર જણાવ્યા પ્રમાણે ગઈ વીશીના નવમા શ્રી દાદર જિનેશ્વર ભગવાનના સમયમાં આ મૂર્તિની ઉત્પત્તિ થયાનું જે જે સ્તોત્રોમાં લખ્યું છે, તેમાં સૌથી પ્રાચીન શ્રી શં, પા. છંદ (તેત્ર ૪૬) વિ. સં. ૧૭૪૫માં રચાયેલ છે, જ્યારે વર્તમાન વીશીના આઠમા શ્રી ચંદ્રપ્રભ પ્રભુજીના સમયમાં આ મૂર્તિની ઉત્પત્તિ થઈ, એમ જે જે તેત્રોમાં લખ્યું છે, તેમાં સૌથી પ્રાચીન શ્રી શં. પા. ઉત્પત્તિ સ્તવન” (તેત્ર પ૬) વિ. સં. ૧૬૦૦માં બનેલ છે. એટલે તેંત્રાંક ૪૬વાળા છંદ કરતાં તેત્ર ૫૬વાળું સ્તવન ૧૨૫ વર્ષ પહેલાં બનેલું છે, તેથી તેને વધારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005466
Book TitleSankheshwar Mahatirth
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1976
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy