SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૭ આ સાંભળી મુનિ બોલ્યાઃ “હે ભાઈ! મને તો તમારા પર પહેલાં પણ ક્રોધ ન હતો ને અત્યારે પણ નથી.' આ સાંભળી રુદ્રદેવ ને ભદ્રા બોલ્યાં : “હે પૂજ્ય ! તમે તો મહાત્મા છો, જ્ઞાની છો. અમે જાણીએ છીએ કે જ્ઞાની ક્રોધ કરે જ નહિ. અમારે ત્યાં અન રાંધેલું છે, માટે આપ પધારો ને અમને લાભ આપો.” મુનિરાજે સાધુને લેવા લાયક અન્ન લીધું ને પારણું કર્યું. પછી મુનિરાજે મીઠા વચને તેમને સમજાવ્યું : “સાચો યજ્ઞ આવો ન હોય. તપ રૂપી લાકડા સળગાવી તેમાં બધી મલિન વાસનાઓ હોમી દેવી જોઈએ. અહિંસા, તપ, ત્યાગ ને જ્ઞાનમાં મસ્ત રહેવું તે જ ખરો યજ્ઞ છે.” યજ્ઞ ત્યાં જ અટકી ગયો. જેઓને ઉમંગ થઈ આવ્યો તેમણે ત્યાં દીક્ષા લીધી. જેનાથી એ ન થયું તેમણે પોતાની શક્તિ પ્રમાણે વ્રત લીધાં અને સંયમના માર્ગે રહેવા લાગ્યા. આ પ્રમાણે પોતાના નિર્મળ ચારિત્રથી ને સાચા ઉપદેશથી મુનિશ્રી હરિકેશે ઘણા ઉપર ઉપકાર કર્યા; અનેક જાતના ખોટા વહેમોનો નાશ કર્યો. ચંડાળ કુલમાં ઉત્પન્ન થવા છતાં તેઓ જગતમાં સઘળે પૂજાવા લાગ્યા. છેવટે પૂરા પવિત્ર થઈ નિર્વાણ પામ્યા. મુનિશ્રી હરિકેશનું જીવન આપણને પોકારીને કહે છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005465
Book TitleMuni Harikesh Acharya Sthulibhadra
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy