SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ઇલાચીકુમાર .....نه એકદમ વધી ગઈ. અને તેને ત્યાં જ જગતનું સાચું જ્ઞાનકેવળજ્ઞાન થયું. અહીં નટકન્યા પણ વિચારવા લાગી : “બળ્યું આ રૂપ ! આ રૂપને મોહી ઇલાચીએ ઘરબાર છોડ્યાં અને આટલાં દુઃખ ભોગવ્યાં. વળી આ રાજાને પણ અવળી મતિ સૂઝી ! હા, આ જીવે જન્મીને શું સારું કર્યું ? હવે ક્યાં સુધી આવું જીવન જીવવું? ચાલ હવે તો મન, વચન ને કાયા જીતી મારા આત્માનું કલ્યાણ કરું.” આવા વિચારો કરતાં તેને પણ કેવળજ્ઞાન થયું. રાજારાણીએ આ બંનેનાં જીવનમાં એકાએક ફેરફાર જોયો, અને તેમને પણ પોતપોતાના જીવનસંબંધી વિચારો આવ્યા. તે વિચારોથી હૃદય તદન પવિત્ર થતાં તેમને પણ કેવળજ્ઞાન થયું. આ ચારે કેવળજ્ઞાનીઓ લાંબા વખત સુધી આ દુનિયા પર ફર્યા તે દરમિયાન તેમના પવિત્ર જીવનની ઘણા ઉપર અસર થઈ. તેમના અમૃત શા ઉપદેશથી ઘણાનાં જીવન પલટાઈ ગયાં. પોતાનું આયુષ્ય પૂરું થતાં બધાં નિર્વાણ પામ્યાં. ધન્ય છે ઇલાચી જેવા સાહસિક નરવીરોને ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005464
Book TitleMayanrekha Ilachikumar Dhanya Ahimsa
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy