SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ઇલાચીકુમાર ટોળું ‘એય ભલા ! એય ભલા !’ બોલી રહ્યું છે. એ ટોળામાં એક નવજુવાન કન્યા છે. રૂપ રૂપનો તે ભંડાર છે. ૧૫ ઇલાચી તેને જોતાં જ ઠરી ગયો. આ તે દેવી હશે કે અપ્સરા ? આવું રૂપ તો મેં કોઈ દિવસ જોયું જ નથી. ઇલાચી તેને ધારી ધારી જોવા લાગ્યો. અને મનમાં નક્કી કર્યું કે પરણું તો આ કન્યાને જ પરણું. * જમવાનો સમય થયો, પણ ઇલાચી આવ્યો નહિ. ધનદત્ત શેઠ તપાસ કરવા ઊઠ્યા કે ઇલાચી ક્યાં છે ? ભાઈ એક ખૂણામાં જેમતેમ સૂતા છે. મોં તદ્દન ઊતરી ગયું છે. ધનદત્ત શેઠે પૂછ્યું : ‘ઇલાચી ! છે શું ? આજે તું આટલો બધો દિલગીર કેમ ?” તેણે દિલ ખોલીને વાત કરી : પિતાજી ! ગામમાં નટલોક ૨મવા આવ્યા છે. તેમને એક જુવાન કન્યા છે. અહા ! શું તેનું રૂપ ! તે મને પરણાવો.’ ધનદત્ત શેઠ કહે : ગાંડા ! આવી લત તે ક્યાંથી લાગી ? નટડીને તે આપણા ઘરમાં ઘલાય ? ક્યાં આપણી નાત ! ક્યાં નટની નાત ! આપણી નાતમાં ઘણી કન્યાઓ છે તેમાંથી તું કહે તે પરણાવું.' પિતાના આવા વિચાર સાંભળી ઇલાચી કંઈ બોલ્યો નહિ . સાંજે ન ખાધું ન પીધું ને ઊઠી ગયો. રાતે નટને છાનામાના બોલાવ્યા અને વાત કરી : માગો તેટલું ધન આપું, પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005464
Book TitleMayanrekha Ilachikumar Dhanya Ahimsa
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy