________________
મહાસતી અંજના
જય બજરંગબલી કોણ હતા એ બજરંગ ! બજરંગ એટલે વજાંગ. વજ-પોલાદના દેહવાળા. એક હજારને આંટે એવા, વિદ્યામાં ને વીરતામાં. શસ્ત્ર-વિદ્યામાં ને શાસ્ત્રની વિદ્યામાં એમની જગતભરમાં જોડ ન જડે.
એમનું નામ હનુમાન. એમની દુઃખિયારી માતાનું નામ અંજનાદેવી. સતીઓમાં શિરોમણિ હતાં. તો રાજકુંવરી, રાજાના કુંવરને પરણ્યાં હતાં, પણ પહેલે પગલે પતિ રિસાયા. અબોલા લીધા. સગાં માબાપે પણ ન સંઘર્યા. સંસારમાં વગર વાંકે સતી ફટફટ થયાં. ઉપર આભ ને નીચે ધરતી રહ્યાં, પણ સત ન છાંડ્યું. આવાં મહાસતી અંજનાદેવી.
સાંભળો તેમની વાત.
એક રાજા. નામ મહેન્દ્ર. સો પુત્ર, પણ એક પુત્રી નહીં. મોટી ઉંમરે એક પુત્રી થઈ. નામ રાખ્યું અંજના! શું રૂપ શું ગુણ ! શી ચતુરાઈ ને શા સંસ્કાર !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org