________________
મહામંત્રી અભયકુમાર
એક વાત માંડો. વારો આવતાં અભયે વાત માંડીઃ “એક હતી કન્યા. તેણે એક માળીને વચન આપ્યું કે હું ગમે ત્યાં પરણીશ, પણ પહેલી રાતે તને મળીશ. થોડા વખત પછી તે કન્યા પરણી, એટલે માળીને ત્યાં જવા પતિની રજા માગી. પતિએ પોતાની શાણી સ્ત્રીનું બોલ્યું પળાય તે માટે રજા આપી. સ્ત્રી ચાલી માળીને મળવા.
રસ્તામાં મળ્યા ચોર. આવ્યા લૂંટવા. એટલે તે સ્ત્રી બોલીઃ “ભાઈ ! લૂંટવી હોય તો મને લૂંટજો, પણ મારું એક વચન પાળવા દો. પરણીને પહેલી રાતે માળીને મળવાનું વચન છે. વળતાં સુખે લૂંટજો.'
ચોર કહે, “આવું આકરું વચન પાળનારી જૂઠું ન બોલે. જવા દ્યો એને. વળતી વખતે એને લૂંટીશું.”
તે સ્ત્રી આગળ ચાલી. ત્યાં મળ્યો એક રાક્ષસ. તે કહે, ‘તને ખાઉં. સ્ત્રી કહે, “ખાવી હોય તો મને ખાજો, પણ મારું વચન પાળવા દો. જરૂર વળતી વખતે અહીં આવીશ.” રાક્ષસ કહે, “ભલે ત્યારે. વળતી વખતે જરૂર આવજે.
પછી ગઈ માળી પાસે. માળી કહે, ધન્ય રે ધન્ય ! આવી વચન પાળનારી તો તને એકને જ જોઈ. જા તારું વચન પળ્યું. એટલે તે પાછી ફરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org