SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨- ૧૦ મેલગપુરના મેદાનમાં સાંગણડોડીઆનું એ યુદ્ધ ભયંકર હતું. ધાર્યા કરતાં દુશ્મનો વધુ નીકળ્યા. એ બળ કરતાંય કળ વધુ વાપરતા. પીઠ પાછળ ઘા કરવામાં કુશળ હતા. ગુજરાતનાં લશ્કરો પીછેહઠ કરવા માંડયાં. તરત જ મંત્રીરાજ ઉદયને રણમેદાનમાં પોતાના ઘોડાને મોખરે દોર્યો. રણનો રંગ બરાબર જામ્યો. ધીરે ધીરે સેના ઓછી થતી ગઈ. શત્રુઓએ એકસામટો મંત્રીરાજ પર ધસારો બોલી દીધો, પણ પાછા હઠે એ બીજા. મંત્રીરાજે એંસી વર્ષની વયે નવજુવાન જોદ્ધાને પણ શરમાવે તેવા રણરંગ દાખવવા માંડ્યા. મંત્રીરાજનું આખું અંગ વેતરાઈ ગયું, મસ્તક ડોલવા લાગ્યું, છતાંય એમના હાથમાં સમશેર ચમકી રહી છે. માગીને ખાતો, જયણા પાળતો જીવનને ધર્મથી જીવતો. લોકો હસી પડતા ને કહેતા : “અલ્યા, રાઈના ભાવ રાતે ગયા, હવે તો વેશ ઉતાર !” પેલો વેશધારી ગંભીર થઈને કહેતો : ‘હવે એ નહિ ઊતરે; લોઢાને પારસમણિનો સ્પર્શ થયો; જે વેશને લીધે મંત્રીશ્વર જેવાએ મને વંદન કર્યું, મારું આટલું માન કર્યું, એ વેશને હું કેમ છોડું? ભલા, એવો તે કોણ મૂર્ખ હોય કે હાથ આવેલો ચિંતામણિ ફેંકી દ!” લોકો કહેતાં : “પાકો વેશધારી !” લોકોની આ ટીકા તરફ એ વેશધારી મુનિએ રોષ ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005457
Book TitleMantri Vimalshah Mahamantri Udayan
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy