________________
શાહ સેદાગર જમાલ
ધીમેધીમે તેમણે આખા બ્રહ્મદેશને ચોખાને વેપાર એકહથ્થુ કર્યો અને તે સતે પરવડે એટલા માટે તેમણે મોટા પાયા ઉપર ચેખાની મિલો શરૂ કરી. ઘરની મિલો મોટી સંખ્યામાં થવાથી, જમાલ શેઠને એ ફાયદો થા, કે તેઓ ધારેલા વખતમાં જોઈતે માલ તૈયાર કરી શકવા લાગ્યા અને તે માલ તેમને સસ્તા પણ પડવા લાગ્યો. ઘણું પરદેશી વેપારીઓ, કે જેમણે આજ સુધીમાં જમાલ શેઠ સાથે વેપારી સંબંધ બાંધ્યો નહોતે, તેઓ તેમનો હવે સાથ શોધવા લાગ્યા; અને પરિણામે તેઓ ૨ગૂનના મોટામાં મોટા ચેખાના વેપારી બન્યા.
ચેખાને સૌથી મોટો જથ્થો તેમના હાથમાંથી નિકાશ પામતો હોવાથી ચોખાનું ભાવિ જમાલ શેઠના નામ સાથે નિર્માણ થઈ ગયું. કોઈ પણ વેપારી, સ્વતંત્ર રીતે ચોખાને ભાવ પાડી શકે, એમ રહ્યું નહીં. જમાલ શેઠના પોતાના ખેડૂતે, પોતાની મિલો અને પિતાની અતિકુશાગ્ર વેપારી બુદ્ધિ; એ બધાને પરિણામે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org