SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' પ્રહાર કરો.” ત્યારે વરૂણનાગ નzઆ શ્રાવકે કહ્યું, “મારું વ્રત છે કે મારા ઉપર જે શસ્ત્ર ઉગામશે, તેના ઉપર જ હું શસ્ત્ર ઉગામીશ. (અર્થાત્ માર્યા વિના ન મારવું.) ... ૧૬૩૧ તેથી યુદ્ધ ભૂમિમાં તમે શસ્ત્રથી પ્રથમ પ્રહાર કરો પછી તમારી યુદ્ધ કરવાની હોંશ મનમાં ન રહી જાય.' સુભટ આ વાત સાંભળી ખીજાયો. તેણે ગુસ્સામાં વરૂણ નાગ શ્રાવકને મારવા બાણ છોડયું. વરૂણ નાગ શ્રાવકને તે બાણ વાગ્યું. ... ૧૬૩૨ વરૂણ નાગ શ્રાવકે તેનો ઉત્તર આપવા (દાંત કચકચાવીને) હાથમાં ધનુષ્ય ઉપાડી તરકસમાંથી બાણ કાઢયું. તેમણે કાન સુધી ધનુષ્યની પ્રત્યંછા ખેંચી બાણ છોડ્યું. તીવ્ર શક્તિ અને વેગથી આવતા બાણે ઊભેલા સુભટના પ્રાણ લીધા. તે બાણ સુભટના હૃદયમાં વાગ્યું. ... ૧૬૩૩ વરૂણ શ્રાવકની અનશન આરાધના પોતઈ પ્રાક્રમ રહીત હુઉ જસિં, રથ વાલ્યો એકઈ પશિરે કરઈ ડાભ તણો સંથારો, પુરૂષ પૂર્વિ બેઠો ઉલાસિ રે. ... ૧૬૩૪ કો. નમોથુછું કીધું વીરનિ, માહરું તિહાં રહ્યાં માનયો રવામિ રે; પહિલા બાર વ્રત તુમ કિ લીધાં, ફરી ઉચ આણઈ ઠામિ રે. ... ૧૬૩૫ કો. કરૂં સર્વ થકી મુઝ વોસિરે, બંધેિ સાંધી કીધું જામ રે; છેહલઈ સાસિં સિર તે વોસિરે, નર અણસણ કીધું તામ રે. ... ૧૬૩૬ કો. પછઈ શલહિ મુંકી શાલ કાઢિઉં, આલોઈ સલાં પાપ રે; બહુ માનવ રણમાં મારીયા, ક્રોધિં ગજ હણીઆ અપાર રે. ... ૧૬૩૭ કો. થોડી અગનિ દુખ દીઈ ઘણું, વરણ દિણું જેહ કષાય રે; એ ચારે વાધ્યા નહી ભલા, જીવ દોહિલો એહથી થાય રે. .. ૧૯૩૮ કો. અગનિ લાગી બાલઈ નર તનુ, જીવ રહીત કરઈ એ ચરણ રે; રણ વાધિઉં દઈ દાસપણું, ક્રોધ આપઈ અનંતા મરણ રે. ... ૧૬૩૯ કો૦ મિં ક્રોધ ધરયો રણિ અતિ ઘણો, માયા લોભ નિં ચોથું માન રે; એ ચ્યારઈ મિં મુંક્યા સહી, ઘર્ વીર તણું હવઈ ધ્યાન રે. ... ૧૬૪૦ કો૦ પામી મરણ હુઉ નર દેવતા, કરઈ મહોત્સવ વિતર ત્યાંહિં; રણિ વઢતાં વરતી અવછરા, એહવું ચાલ્યું તે જગમાંહિ રે. શ્રી ગૌતમિં પુછિઉં વીરનિ, ભગવતી સૂત્ર તે માંહિ રે; વલી સાતમું શતગ સોઝજે, નવમો ઉદેસો ત્યાંહિ રે. ... ૧૬૪૨ કો. વરિ વૃતાંત માંડી કહિઉં, વરણનાગ જે નતુ સાર રે; તે અણસર્ણિ હુઉ દેવતા, હુઉ લોકમાંહિ તે વિસ્તાર રે. .. ૧૬૪૩ કો. .. ૧૬૪૧ કો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy