SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. બીજી તરફથી આ ચર્ચામાં એક પ્રશ્ન ઉભે થયે હતું કે શ્રી વિજયવલલભસૂરિએ પાટણમાં ઉજમણું ઉપધાનાદિમાં ખર્ચાતું દ્રવ્ય “ એ એનો ધૂમાડો કરવા બરાબર છે ” એમ કહેવા સંબંધી હતે. સાગરજી તરફથી અનેક ઉદીરણાઓ થવા છતાં શ્રી વિજયવલ્લભસૂરિજીએ આ સંબંધી પિતાનું મૌન ન તેડયું તે નજ તેડયું. એક સાચા સુધારકને માટે અહિં મારો મતભેદ છે. યદિ વિજયવલભસૂરિજીએ તેવા અથવા તેને મળતા શબ્દો ઉચ્ચાર્યા હતા તે તેમણે ડંકાની ચેટ સાથે જાહેર કરવું જોઈતું હતું કે હા હું આ શબ્દ બોલ્યા હતે. એમ સ્વીકારતાં એમણે જરા પણ ભય રાખવાની જરૂર નહતી. અને જે તેમણે શબ્દ નહિં કહ્યા હતા, તે તેમણે પોતે એ શબ્દ ઉચ્ચારવાનો ઈન્કાર કરે હતે. સાગરજીની પાસે શાસ્ત્રાર્થ કરવા જવું કે ન જવું, એ એમની મુન્સફીની વાત હતી; પરન્તુ ખરી હકીકત પ્રમાણિક પણે જાહેર કરવી, એ એમનું કર્તવ્ય હતું. સમાજ, સાગરજી અને શ્રી વિજયવલ્લભસૂરિજીના વચનેમાં કેના ઉપર વિશ્વાસ રાખો તે તેિજ વિચારી લેત. કદાચિત કોઈ પક્ષ સાગરજીની વાતને સાચી માનતે તે તેથી વિજયવલ્લભસૂરિજીના પક્ષને કાંઈ હાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005445
Book TitleNavo Prakash
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherBalabhai Virchand Desai
Publication Year
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy