________________
તીર્થંકર શ્રી શાંતિનાથ
એને બચાવશો, તો હું મરી જઈશ. દયા એવી ન હોવી જોઈએ કે જે એક જીવને બચાવે, બીજાને મારે. વળી આ કબૂતર પર મારો હક છે. કોઈના હકની રાજાથી ના કેમ પડાય ?” બાજ બોલ્યો. એણે રાજાને બોલે બાંધી લીધા.
તું માગે તે આપું, પણ આ નિર્દોષ કબૂતરને છોડી દે.’ ‘એક શરતે છોડું ? એટલા વજનનું કોઈ માણસ પોતાનું માંસ મને આપે.'
રાજા વિચાર કરી રહ્યા. માણસનું માંસ કેમ અપાય ? એક જીવને બચાવવા બીજા જીવની હત્યા કેમ થાય ? અને જો એમ ન થાય તો પછી આ બાજ પંખી ભૂખ્યું મરી જાય એનું શું ? આખરે રાજાએ વિચાર કર્યો, કે દયાધર્મનું પાલન પોતાના દેહથી જ કરવું સારું !
પણ પળભર વિચાર આવ્યો : અરે, એક સાધારણ કબૂતરને બચાવવા મારો રાજાનો દેહ આપી દેવો ? બીજી પળે વિચાર આવ્યો કે નાનું કે મોટું, કર્તવ્ય તે કર્તવ્ય !
રાજાજીએ કહ્યું : ભાઈ સીંચાણા ! હું દયાધર્મનો પાળનારો છું. મારાથી એક જીવને સુખ આપવા બીજા જીવને દુઃખ ન અપાય. દુઃખ કોઈને દેવાનું હોય તો દયાધર્મી પોતાના દેહને જ દે ! આ કબૂતરના ભારોભાર મારા દેહનું માંસ તને આપું છું, તે લઈને તું આને છોડી દે !’
રાજાજી, જેવી તમારી મરજી, પણ કબૂતરના વજનથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org