SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ નાશના ઉપાયો વિચારી શકતો નથી. તેથી ખૂબ દુઃખી થાય છે. જ્યારે ચિંતા છોડી સ્વસ્થપણે વિચારે તો સાચા ઉપાયો શોધી દુઃખોને ભગાડી શકે છે. કેટલાક ધર્મના અનુયાયી દુઃખ વખતે પોઝીટીવા થીન્કીંગથી મનને સમજાવી દુઃખી થતા નથી. એ વિચારે છે કે દુ:ખ પણ પ્રભુ જ આપે છે. અને મારા ભગવાનની પ્રસાદી મળતાં જેમ હું ખુશ થાઉં છુ તેમ પ્રભુની પ્રસાદી સ્વરૂપ દુઃખ પણ મજેથી વેઠવું. એક પ્રેરક પ્રસંગ જાણવા જેવો છે. શેઠે ગુલામ પાસે કાકડી મંગાવી. નોકરે શોધીને ખૂબ સુંદર કાકડી બજારમાંથી લાવી શેઠને પી. જરાક ખાઈ શેઠે નોકરને ખાવા આજ્ઞા કરી. હસતા ખાતા જોઈ શેઠે પૂછયું, “ કાકડી કડવી લાગતી નથી?'' નોકરે કહ્યું, “ખૂબ જ કડવી છે.' શેઠે પૂછ્યું, “તો ખાતાં હસે છે કેમ?” નોકરે કહ્યું, “મને વિચાર આવે છે કે મારા શેઠે આજ સુધી મને ઢગલો સુખ આપ્યા છે. માત્ર આ એક દુઃખ શેઠે આપ્યું. તો શેઠના ઉપકાર યાદ કરી મજેથી ખાઉં.” સાંભળીને ખુશ થઈ શેઠે વિચાર્યું કે મારા ભગવાને મને ઘણા સુખ આપ્યા છે. ક્યારેક એ દુઃખ આપે તો મારે પણ મજેથી સહન કરવા. આ સમજથી સ્ત્રીઓ સાસરે ઘણું સહે છે. અજૈનો જો આવા કોઈ ચિંતનબળે દુઃખ આનંદથી વેઠતા હોય તો તીર્થંકરદેવની દુઃખના તત્ત્વજ્ઞાનની વાતો આપણે જૈનો જો સમજીએ તો દુઃખમાં સમાધિ રાખવી સાવ સરળ થઈ જાય. કેટલાક સંસારી માણસો દુઃખના કાળમાં પોઝીટીવ થીન્કીંગથી દુઃખી થતા નથી. દિલ્હીમાં એક કંડક્ટર હતો. મુસાફરોને આવકારે. શક્ય સહાય કરે. મૈત્રીભર્યા વ્યવહારથી બધાને એ પ્રિય બની ગયો. તેની પત્નીનું મૃત્યુ થયું. જાણીને મુસાફર યુવાનોએ વિચાર્યું કે ખૂબ સારો માણસ છે. તેને મોટું દુઃખ આવ્યું. તેને આશ્વાસન આપીએ. તેના ઘેર ગયા. (૩૮) For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005441
Book TitleJain Dharmni Samaj Part 01 to 03
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy