SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મિક શાંતિ મેળવો એ શુભેચ્છા. જિનદર્શન પ્રાયઃ દરેક જૈન રોજ કરે છે. તમને મારે એક પ્રશ્ન પૂછવો છે કે દર્શન-પૂજા કરી જતા હોવ ત્યારે કોઈ અજૈન વગેરે પૂછે, ક્યાં જઈ આવ્યા ? તો તમે કહો કે દર્શન કરવા. પછી તે પૂછે કે પ્રભુ દર્શનથી શું મળે ? ત્યારે તમે આત્માને પૂછો કે તમે જવાબ શું આપશો? ઘણાં એમ કહે કે રોજ દર્શન તો અવશ્ય કરું છું. શું મળે? એ તો ખબર નથી અને આજ સુધી કંઈ મળ્યું નથી. સાચી વાત ? હવે હોશિયાર છોકરો પેપર લખી જતો હોય. તેને કોઈ પૂછે કે તને કેટલા માર્ક્સ મળશે ? તે કહે કે ૯૫ માર્ક મળશે. વિદ્યાર્થીને મહેનતના ફળમાં શ્રધ્ધા છે. તમને શ્રાવકને ધર્મના ફળમાં શ્રદ્ધા છે ? નથી ને? સંસારી પ્રાયઃ કરીને સંસારમાં, ધંધામાં, ડીગ્રી મેળવવામાં વગેરેમાં વધુ સારામાં સારું કરવા મથે છે, જ્યારે જૈનો દર્શન વગેરે ધર્મમાં વેઠ ઉતારે છે. હકીકતમાં ભગવાન ઉપદેશ છે કે જીવ જેવો ધર્મ કરે તેટલું ફળ ૧૦૦ડ તેને મળે જ. સંગમ અજૈન, ગરીબ બાળક હતો છતાં સુપાત્રદાન સુંદર કર્યું તો શાલિભદ્ર બન્યો. તો ઘણાં સુખ મળ્યાં. તેથી દરેક માણસે એ દઢ વિશ્વાસ રાખવા જેવો છે કે જેવો હું ધર્મ કરીશ તેવું ફળ ચોક્કસ મળશે જ. અને ધર્મ ખૂબ સારો કરવા શ્રાવક સંકલ્પ કરે. હવે આપણે ભક્તિના મહત્ત્વના મુદ્દા વિચારીએ. (૧) દહેરાસરમાં શ્રાવકનું મુખ્ય લક્ષ્ય સારામાં સારી પ્રભુભક્તિનું હોવું જોઈએ. જેમ દરેક પરીક્ષાર્થીઓનું મુખ્ય ધ્યેય પેપર સારું લખવાનું હોય છે તેમ. (૨) ભક્તિ વધતી જાય તે પ્રયત્ન કર્યા કરવો. (૩) ભક્તિ ઘટે તેવા વિપ્ન, નિમિત્તો વગેરેથી દૂર રહેવું. (૪) પૂજા, દર્શન, ચૈત્યવંદન વગેરે કરતાં હાથ જોડવાપૂર્વક પ્રભુ સામે જ જોવું. બીજે ડાફોળિયા મારવા નહીં. તેથી - ૩૧ O Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005441
Book TitleJain Dharmni Samaj Part 01 to 03
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy