SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ટી.વી. જોવું વગેરે ઘણા બધા ત્યજવાના કામો પણ કરે છે. ધનપ્રેમી જીવો જેમ વેપારમાં બધું ભૂલી લાખો કમાવા ઘણી મથામણ કરે છે તેમ હિતચાહક જૈનો આત્મસુખને પ્રધાન બનાવી યાત્રા કરે તો દિવ્ય શાંતિ, ગુણો, પુણ્ય, ધર્મ વગેરે ઘણું બધું મેળવી શકે ! તમે મનને ખૂબ સમજાવો કે તુચ્છ સુખો માટે સંસારમાં અમે ભટકીએ જ છીએ પણ તેનાથી આત્મિક શાંતિ પ્રાપ્ત થતી નથી. તેથી યાત્રાની તક મળે ત્યારે ધર્મની હિતકર વાતો વિચારી વિધિપૂર્વક યાત્રા કરીશું. યાત્રા કરતાં અનંત ફળ આપનાર પૂજા, ભક્તિ, શીલ, તપ, દાન, ગુરૂભક્તિ વગેરે વધે તે સતત લક્ષ્ય રાખવું, જેથી શુભ ભાવોને પુષ્ટિ મળે. શુભ ભાવો નષ્ટ કરનારા તુચ્છ ટી.વી., સંસાર આસક્તિ, વિષયોની તૃષ્ણા વગેરે વધુ ને વધુ ત્યજવા જોઈએ. નહીં તો ટી.વી. વગેરે તમારા અશુભ ભાવો વધારશે અને શુભ ધર્મ-ધ્યાન કરવા નહીં દે. યુવાનો, બાળકો, નોકર વગેરેને પણ યાત્રાના અનુપમ લાભ, વિધિ, આશાતના વગેરે સમજાવવાથી તેઓ પણ યાત્રા વધુ સારી રીતે કરવા ઉલ્લસિત થશે. યાત્રા દરમ્યાન આજે ઘણા ખૂબ આશાતના કરતા હોય છે. ઉત્તમ જીવોએ બધી આશાતના છોડવી જોઈએ. જેમ સંસારમાં ખૂબ સુખ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થી એજીનીયરીંગ વગેરે પરીક્ષામાં લખતી વખતે તેઓને પ્રિય સચીન, ટી.વી. વગેરેને ભૂલી જઈને શક્ય તેટલું સારામાં સારું લખે છે, તેમ ધર્માર્થીએ સંસારને ભૂલી યાત્રામાં ભક્તિ વગેરે ખૂબ કરવા જોઈએ. આજે શ્રાવકો સંસારમાં ખૂબ ફસાયેલા છે એવા જમાનામાં તીર્થયાત્રા ખૂબ સારી કરવાથી આત્મિક શાંતિ સાથે ઘણા ભવના સુખ રીઝર્વ થાય છે. તેથી જ હે જૈનો ! આટલું તો નક્કી જ કરો કે કમસે કમ યાત્રા કરતા તો સંસાર, વિલાસ, આશાતનાઓ વગેરે છોડી –(૨૦)For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005441
Book TitleJain Dharmni Samaj Part 01 to 03
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy