SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ રાખવા. તો સાધુ મહારાજ શક્ય હશે તો બાજુમાં થઈ અંદર પધારી વહોરશે. સચિત્ત એટલે જીવવાળી વસ્તુઓ અથવા જીવતી દા.ત. કાચું પાણી, લીલા શાકભાજી, ઘઉં વગેરે અનાજ, ચીકુ વગેરે ફળ. આ વસ્તુઓ સાધુને નિમિત્તે ખસેડવી નહીં. (ખ) વહોરાવતી વખતે પણ સુશ્રાવિકાઓ સંપૂર્ણ સાવચેતી રાખે કે રસોડામાં રહેલ પાણી, લીંબુમરચાં વગેરે સચિત્ત વસ્તુને અડી ન જવાય. સંઘટ્ટાથી વેદના, હિંસા વગેરે થાય છે. (ગ) વહોરાવવાના ચમચા, વાટકી વગેરે પણ તદ્દન કોરા જોઈએ. કાચા પાણીના ટીપાવાળા ચમચા વગેરે વડે ગોચરી ન વહોરાવાય. કેટલાક ચમચા વગેરે લુછીને વહોરાવે છે. પણ ભીના ચમચા સાધુને માટે લુછીને ન વહોરાવાય. ઉપયોગ રાખી કોરા જ લેવા. (ઘ) વહોરાવવાની વસ્તુ લાવતાં મૂકતાં પણ પાણી વગેરે તથા કીડી વગેરેની હિંસા ન કરવી જોઈએ. (ચ) દાળ વગેરે વહોરાવતા જરા પણ જમીન પર ઢોળાય નહીં એમ સજાગપણે સાધુના પાતરામાં વહોરાવવી. (છ) વહોરાવતાં પૂર્વે કે પછી હાથ, ચમચા વગેરે કોઈ વસ્તુ પાણીથી ધોવાય નહીં. (જ) લાભ મળે તે માટે ચાલુ ગેસ વગેરે બંધ ન કરાય. (ઝ) પંખા, લાઈટ વગેરે સાધુ નિમિત્તે બંધ કે ચાલુ ના કરાય. (ટ) ઢાંકણ ઉપર મરચાં વગેરે પડ્યા હોય તો છીબા નીચેના ભાત વગેરે ન વહોરાવાય (ખરેખર તો દાળ વગેરેમાં નાંખ્યા પછી મરચાં વગેરે વધે તો તેના વાસણમાં પાછા મૂકવાની ટેવ પાડવી જોઈએ.) વધેલા લીંબુ વગેરે આળસથી ભાતા વગેરેની તાસક પર મૂકવાથી તે ભાત વગેરે સાધુને ન ખપે. H( ૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005441
Book TitleJain Dharmni Samaj Part 01 to 03
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy