________________
અહિંસા યાત્રાઃ એક નવી દષ્ટિ -
એક નવી દિશા
૨૧મી સદીના ઉદયમાં પ્રારંભ થયેલી અહિંસાયાત્રા આચાર્યશ્રી મહાપ્રજ્ઞજનું હિંસાથી ત્રાસેલી અને ભયગ્રસ્ત થયેલી માનવતાને સર્વોદયી વરદાન છે. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જ્યાં
જ્યાં મહાપ્રજ્ઞજીના પવિત્ર ચરણ પડે છે ત્યાં દિવ્ય વાણી ગુંજી રહે છે. અહિંસાની ચેતના અને નૈતિક વિકાસની આવશ્યકતા અને વ્યાવહારિક રૂ૫ લોકોને સમજમાં આવવા લાગ્યું છે. જીવનમાં પરિવર્તન લાવવાની પ્રેરણા મેળવવા અને માર્ગદર્શન મેળવવા માટે પૂજ્ય મહાપ્રજ્ઞજીને સાંભળવા ગામ તથા શહેરમાંથી યુવા, વૃદ્ધ, નર-નારી, સમૃદ્ધ અને અભાવગ્રસ્ત લોકો ઊમટી પડે છે. જૈન, હિંદુ, મુસલમાન, શીખ, ઈસાઈ બધા ધર્માવલંબી મહાપ્રજ્ઞજીમાં જોઈ રહ્યા છે, એવા આધ્યાત્મિક શીર્ષ પુરુષ જે ધર્મોની સંકીર્ણ પરિધિમાંથી ઉપર ઊઠીને સંપૂર્ણ સમાજના આચાર, વિચાર, વ્યવહારમાં અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતનો ભાવ જગાવવામાં કૃતસંકલ્પ છે. . ચાર હજાર કિલોમીટર લાંબી અહિંસાયાત્રાનો
સંકલ્પ છે જનમાનસને હિંસામુક્ત અને નૈતિક મૂલ્યસંપન્ન બનવાની પ્રેરણા આપવી તથા સાર્થક
230
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org