SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાઝિલના ખાસ આમંત્રણથી યોજાયેલું સંયુક્ત રાષ્ટ્રનું પૃથ્વી સંમેલન (ઈ. સ. ૧૯૯૨). ન્યૂયૉર્કમાં સંપન્ન સંયુક્ત રાષ્ટ્રસંઘનું મિલેનિયમ શાંતિશિખર સંમેલન (ઈ. સ. ૨૦૦૦). • લંડનના વિખ્યાત વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં ભગવાન મહાવીરના ૨00મા જન્મકલ્યાણક સંદર્ભમાં આયોજિત સમારોહમાં (ઈ. સ. ૨૦૦૧). • ન્યૂજર્સી (અમેરિકા)માં ભારતીય વિદ્યાભવનના તત્ત્વાવધાનમાં યોજાયેલું અહિંસા વર્ષ સંમેલન (ઈ. સ. ૨૦૦૨). • યુનિવર્સલ પીસ ફેડરેશન કોરિયા, આંતરરાષ્ટ્રીય સંમેલન (૨૦૦૫). • આંતરરાષ્ટ્રીય જૈન સંમેલન નાઇરોબી (૨૦૦૫). તેઓનાં પુસ્તકોમાં ‘ઉન્મુક્ત ગગનમેં' તથા એક અનૂઠા ઉપવન' જેવા હિંદી કાવ્યસંગ્રહોનો સમાવેશ થાય છે. એની પ્રસ્તાવના અનુક્રમે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી નરસિંહ રાવે લખી છે. જૈનદર્શન પર darbai yirls 'Wale of Bliss' (9662), ‘Non-Violence, Environment and Peace' (૧૯૯૩) અને “Ahimsa - The Ultimate Winner(૨૦૦૨ તથા પુનઃ ૨૦૦૪માં પ્રકાશિત) તેમજ હિંદીમાં “વર્તમાન યુગમેં જૈનદર્શન' (૨૦૦૫) વિશેષ ઉલ્લેખનીય છે. ૧૦૫ વર્ષથી કાર્ય કરતી સમગ્ર જૈન સમાજની અગ્રણી સંસ્થા “ભારત જૈન મહામંડળે' વર્ષ ૨૦૦૪ માટે ડૉ. નરેન્દ્ર જૈનને “જૈન ગૌરવથી અલંકૃત કર્યા છે. હાલ તેઓ વર્લ્ડ જૈન કન્ફડરેશનના પ્રમુખપદે બિરાજે છે. નમ્ર, સૌજન્યશીલ અને વિદ્વાન એવા ડૉ. નરેન્દ્ર જૈનના ચિંતનશીલ વ્યક્તિત્વનો પરિચય “જૈન ધર્મ : વારસો અને વૈભવ' પુસ્તકમાંથી મળે છે. તેઓ દ્વારા જૈનદર્શનની અને માનવતાની સેવા અહર્નિશ અવિરતપણે ચાલતી રહેશે, તેવી પૂર્ણ શ્રદ્ધા છે. XI Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy