________________
તીર્થકર શ્રી ઋષભદેવ
ઘણા જૂના જમાનાની વાત છે. જ્યારે આ દેશમાં નહોતાં ગામનગર કે નહોતાં પુરપાટણ. સઘળે લીલી કુંજાર ઝાડી.
જ્યાં જુઓ ત્યાં અમૃત જેવાં મીઠાં ફળ. જ્યાં જુઓ ત્યાં અમૃત જેવાં પાણી. માણસો આવાં અમૃતફળ ખાય ને મીઠાં પાણી પીએ, જંગલમાં હરે ફરે અને મજા કરે. નહિ કોઈને કજિયો કે નહિ કોઈને કંકાસ.
લોકો જંગલમાં એમ હરેફરે છે અને મજા કરે છે. એવામાં આવ્યા હાથીભાઈ. એમની સાથે એક માણસને થઈ દોસ્તી. એટલે દરરોજ તે હાથી પર ચડે ને જંગલમાં ફરે.
એ માણસનું નામ વિમળવાહન.
કાળનો મહિમા અજબ છે. ધીમે ધીમે ફળફૂલાદિ થયાં ઓછાં ને માણસોએ માંડ્યું લડવા.
એક કહે કે મારું ઝાડ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org