________________
તીર્થંકર શ્રી ઋષભદેવ
ચાલે, એટલે થોડાને બોલાવીને ઝાડની છાલનાં કપડાં બનાવતાં શીખવ્યું.
આમ ધીમે ધીમે રિખવદેવે લોકોને કળા શીખવી, પણ હવે માણસોનાં મન થયાં મેલાં. જ્યાં જુઓ ત્યાં કજિયો ને
જ્યાં જુઓ ત્યાં લડાઈ. છેવટે માણસો લડી લડીને કંટાળે અને આવે રિખવદેવ પાસે.
એક દિવસ કેટલાક માણસોએ આવીને કહ્યું : “દેવ ! હવે તો આ કજિયા-કંકાસ માટે એવું કરો તો સારું. કોઈ કોઈનું માનતું નથી અને હંમેશાં લડાઈ-ટંટા ચાલે છે.”
રિખવદેવ કહે, “રાજા હોય તો આ બધું મટે.” માણસો કહે, “તમે અમારા રાજા.'
રિખવદેવ કહે, “પિતાની રજા સિવાય રાજા ન થવાય. તમે પિતાજી પાસે જઈને વિનંતી કરો. એ કહે તેમ કરીશ.'
આથી બધા નાભિ કુળકર પાસે આવ્યા ને વિનંતી કરી. નાભિ કુળકર કહે, “ભલે, રિખવદેવ તમારો રાજા થશે.”
પિતાની રજાથી રિખવદેવ રાજા થયા. તેઓ સહુથી પહેલા રાજા થવાથી આદિનાથ કહેવાયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org